મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના નજીવા વરસાદે ધોવાઈ ગયેલા રસ્તાના ખાડા બુરવા માટે પાલિકા ઊંધામાંથે


SHARE











મોરબીના નજીવા વરસાદે ધોવાઈ ગયેલા રસ્તાના ખાડા બુરવા માટે પાલિકા ઊંધામાંથે

મોરબી શહેરમાં ચોમાસાના પ્રારંભે જ કેટલાક વિસ્તારોની અંદર રોડ રસ્તા ઉપર જીવલેણ અકસ્માત સર્જાય તેવા ખાડા પડી ગયા છે જેથી કરીને વરસાદે હાલમાં વિરામ લેતાની સાથે જ નગરપાલિકા દ્વારા ખાડા પૂરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર અમુલ પાર્લર પાસે મસમોટા ખાડા પડી ગયા હોવાથી ત્યાં જીવલેણ અકસ્માત સર્જાય તેવી શક્યતા હતી અને મોરબી શહેરમાંથી પસાર થવાનો આ મુખ્ય બન્ને રસ્તો હોય ત્યાં ટ્રાફિક પણ વધારો તો હોય છે જેથી તાત્કાલિક પાલિકા દ્વારા પહેલા આ રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે અને મોરબી નગરપાલિકાના પાવડી વિભાગના હિતેશભાઈ રવેશિયા સહિતના સ્ટાફ દ્વારા ત્યાં હાજર રહીને ચીફ ઓફિસરની સૂચના મુજબ ખાડા પૂરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર આવી જ રીતે જ્યાં ક્યાંય પણ રોડ રસ્તા ઉપર ખાડા પડેલા હશે ત્યાં ખાડા પૂરવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે ઉલેખનીય છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા બોદા કામ કરવામાં આવ્યા હોય ઘણી જગ્યાએ રોડ રસ્તા પ્રથમ વરસાદમાં જ તૂટી ગયા હોય અથવા ખાડા પડી ગયા હોય તેવી માહિતીઓ સામે આવી રહી છે જોકે આ ભાંગેલા તૂટેલા રસ્તા નિર્દોષ વાહન ચાલકો કે રાહદારીઓ માટે જીવલેણ સાબિત ન થાય તે પ્રકારની આગોતરી કામગીરી હવે નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોકોની લાગણીને માગણી છે






Latest News