મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રનો દશાબ્દિ મહોત્સવ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડની હાજરીમાં યોજાયો


SHARE







મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રનો દશાબ્દિ મહોત્સવ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડની હાજરીમાં યોજાયો

મોરબીના લક્ષ્મીનગર ગામે છેલ્લા ૧૦ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ માટે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે ત્યારે તેના દશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પદ્મશ્રી હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર યોજાયો હતો. જેમાં ધારાસભ્ય સહિતના લોકો હાજર રહ્યા હતા

મોરબીના લક્ષ્મીનગર ગામે પ્રજ્ઞાચક્ષુ માટે રહેવાની જે વ્યવસ્થા હાલમાં છે તે ઉપરાંત વધુ પ્રજ્ઞાચક્ષુ માટે નવું બિલ્ડીંગ દાતાઓના સહયોગથી હાલમાં બનાવવામાં આવી રહ્યું છે ત્યારે નવા બિલ્ડીંગ ખાતે દશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પદ્મશ્રી હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર રાખવામા આવ્યો હતો તેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જંયતિભાઈ ભાડેશીયા, લક્ષ્મીનગરના સરપંચ બાલકૃષ્ણભાઈ, મોરબીની ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે સંસાથના સંચાલક હાતીમભાઇએ જણાવ્યુ હતું કે, પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાં હાલ ૪૦ દંપતી રહી શકે તે માટે ફ્લેટ છે અને ૧૮૦ જેટલા પ્રજ્ઞાચક્ષુઓ ત્યાં રહે છે જો કે, હાલમાં આર્યવ્રત સ્કૂલ પાસે જ ૧૦૦ ફ્લેટનું કામ ચાલુ છે અને તે ૭ કરોડના ખર્ચે બનશે અને તેના માટે સૌથી વધુ એક કરોડનું દાન ડો. કુસુમબેન અમૃતલાલ દોશી તરફથી આપવામાં આવ્યું છે અને દાતાઓ તરફથી દાન સતત આપવામાં આવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા હાતિમભાઈ રંગવાલા અને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર મોરબીના પ્રમુખ હરિશભાઈ શેઠ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News