મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ


SHARE











મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા જૈન પરિવારની યુવતી ઘરેથી શાકભાજી લેવા માટે બહાર જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી હતી અને બાદમાં ઘરે પરત ન ફરતા પરિવારે ઘરમેળે તેણીની શોધખોળ કરી હતી છતાં પણ યુવતીનો કોઈ પતો ન લાગતા અંતે યુવતીના ભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસ મથક ખાતે યુવતી ગુમ થઇ હોવાની જાણ કરવામાં આવતા હાલ પોલીસે આ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ મોટી હનુમાન ડેરી શેરીમાં રહેતી રિધ્ધીબેન ભરતભાઈ દોશી જાતે જૈન વાણીયા (ઉમર ૨૩) નામની યુવતી ગત તા.૨૨-૪ ના રોજ ઘરેથી સવારે નવેક વાગ્યે શાકભાજી લેવા માટે જાઉ છું તેમ કહીને નીકળી હતી અને બાદમાં ઘરે પરત ફરી ન હતી.છેલ્લા કેટલાક સમયથી પરિવાર દ્વારા યુવતીની ઘરમેળે તપાસ ચલાવવામાં આવી રહી હતી છતાં પણ રિધ્ધીબેન દોશીનો કોઈ પતો લાગ્યો ન હતો.અંતે તેના ભાઈ પ્રિતેશ ભરતભાઇ દોશી (ઉમર ૨૬) રહે.મોટી હનુમાન ડેરી શેરી ગ્રીનચોકએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોતાની નાની બહેન રીધ્ધીબેન ભરતભાઈ જોશી ગુમ થયા હોવા અંગે જાણ કરતા હાલ પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી છે જેની આગળની તપાસ પી.બી.ઝાલા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં માતા-પુત્રીને ઇજા

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ શ્રીજી હાઈટ એપાર્ટમેન્ટમાં રહેતા લક્ષ્મીબેન ગણેશભાઈ પરિહાર (ઉમર ૨૬) અને તેઓની બે વર્ષની પુત્રી રિયાને ઇજા થતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને ત્યાંથી તેઓને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે લક્ષ્મીબેન તથા તેઓની બે વર્ષની દીકરી રિયા તેઓના પતિના બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ત્યાં રવાપર ગામ પાસે આવેલ રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી પાસે તેમનું બાઈક ગાય સાથે અથડાયું હતું.જેથી સર્જાયેલ અકસ્માત બનાવમાં માતા-પુત્રીને ઇજા થતા તેઓને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા હર્ષિદાબેન સુનિલભાઈ ચાડમીયા નામની ૩૩ વર્ષની મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.તેઓ મોરબીના રવાપર-શનાળા રોડ વચ્ચેના રસ્તેથી બાઇકમાં બેસીને જતા હતા ત્યારે અંકલ સ્ટોર પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજા થતા સારવારમાં લઇ જવાયા હતા.






Latest News