મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ પાસે બાઇક પોલ સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











ટંકારાના નેકનામ પાસે બાઇક પોલ સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત

ટંકારા તાલુકાના નેકનામથી આગળના ભાગમાં ગોળાઈ પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ગોળાઇમાં બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને બાઇક સ્લીપ થઈ ગયું હતું અને સાઈડમાં આવેલ સિમેન્ટના થાંભલા સાથે તે અથડાતા બાઈક ચાલક યુવાનને મોઢા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના ધાર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના જીવાપર ગામે દેવજીભાઈ મેઘજીભાઈ લુણાગરિયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા દિનેશભાઈ રાયસીંગભાઈ બધેલ જાતે અનુ. જનજાતિ (૨૭) પોતાનું બાઈક લઈને ટંકારા તાલુકાના નેકનામ ગામથી આગળના ભાગમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ગોળાઈમાં બાઈકના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને બાઇક સ્લીપ થઈ ગયું હતું અને રોડ સાઈડમાં આવેલ સિમેન્ટના થાંભલા સાથે અથડાતા યુવાનને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી બાઇક ચાલક દિનેશભાઈ રાયસીંગભાઈ બધેલનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્ની મંજુબેન દિનેશભાઈ બધેલ (૨૪) રહે. હાલ જીવાપર તાલુકો ટંકારા મૂળ રહે. એમપી વાળીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ભૂલથી દાવ પી ગયો

મોરબીના સનાળા રોડ ઉપર સ્કાય મોલ પાસે કુલદીપ ગોવિંદભાઈ (૪૮) નામનો યુવાન પોતાના ઘર નજીક દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિ.કે. પટેલ ચલાવી રહ્યા છે અને યુવાન ભૂલથી દવા પી ગયો હોવાનુ સામે આવ્યું છે






Latest News