મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં સોની વેપારીની બે કિલો ચાંદીનો ભાવ પોલીસ ચોપડે ૪૫૦૦૦ !


SHARE







 

માળીયા (મી)માં સોની વેપારીની બે કિલો ચાંદીનો ભાવ પોલીસ ચોપડે ૪૫૦૦૦ !

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં ચાર શખ્સો દ્વારા તાળા તોડીને ચોરી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ચાંદીના નવા અને જૂના દાગીનાની ચોરી કરી હોવા અંગેની ફરિયાદ નોંધાય છે અને આશરે બે કિલો ચાંદીનો જથ્થો ચોરી કરેલ છે જો કે તેની પોલીસ ચોપડે કિંમત ૪૫,૦૦૦ દર્શાવવામાં આવી છે અને હાલમાં વેપારીએ નોંધવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મીયાણાના રહેવાસી અને હાલમાં ધાંગધ્રામાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ અંબિકા સોસાયટીમાં રહેતા નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ રાણપરા જાતે સોની (૪૫)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા. ૨૧ ના રોજ રાતે બેથી સવા બે વાગ્યાના સમયમાં કોઈ અજાણ્યા ચાર શખ્સો દ્વારા તેઓની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ અંબિકા જ્વેલર્સ નામની દુકાનના શટરના તાળા તોડીને દુકાન ખોલી તેમાં પ્રવેશ કરી ડિસ્પ્લેમાં રાખેલ ચાંદીના નવા તથા જુના દાગીના આમ કુલ મળીને બે કિલો ચાંદીની ચોરી કરવામાં આવી છે જેની પોલીસે લીધેલ ફરિયાદમાં માત્ર ૪૫,૦૦૦ જ કિંમત દર્શાવવામાં આવી છે ! હાલમાં વેપારી દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ચાર શખ્સોની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે જો કે, ચાંદીનો એક કિલોનો ભાવ વર્તમાન સમયમાં જે છે તે મુજબ ફરિયાદ કેમ લેવામાં આવી નથી તે પણ એક પ્રશ્ન છે અત્રે ઉલેખનીય છે કે, જો મોટી રકમની ચોરી હોય તો ડીવાયએસપી, એસસી કે રેન્જ આઇજી સુધીના અધિકારીઓને તપાસમાં જોતરાવુ પડે છે જેથી કરીને એનકેન પ્રકારે ચોરીનો આંકડો નીચો દર્શાવવામાં આવે છે તે હક્કિત છે.






Latest News