મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં સોની વેપારીની બે કિલો ચાંદીનો ભાવ પોલીસ ચોપડે ૪૫૦૦૦ !


SHARE











 

માળીયા (મી)માં સોની વેપારીની બે કિલો ચાંદીનો ભાવ પોલીસ ચોપડે ૪૫૦૦૦ !

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં ચાર શખ્સો દ્વારા તાળા તોડીને ચોરી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ચાંદીના નવા અને જૂના દાગીનાની ચોરી કરી હોવા અંગેની ફરિયાદ નોંધાય છે અને આશરે બે કિલો ચાંદીનો જથ્થો ચોરી કરેલ છે જો કે તેની પોલીસ ચોપડે કિંમત ૪૫,૦૦૦ દર્શાવવામાં આવી છે અને હાલમાં વેપારીએ નોંધવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મીયાણાના રહેવાસી અને હાલમાં ધાંગધ્રામાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ અંબિકા સોસાયટીમાં રહેતા નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ રાણપરા જાતે સોની (૪૫)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા. ૨૧ ના રોજ રાતે બેથી સવા બે વાગ્યાના સમયમાં કોઈ અજાણ્યા ચાર શખ્સો દ્વારા તેઓની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ અંબિકા જ્વેલર્સ નામની દુકાનના શટરના તાળા તોડીને દુકાન ખોલી તેમાં પ્રવેશ કરી ડિસ્પ્લેમાં રાખેલ ચાંદીના નવા તથા જુના દાગીના આમ કુલ મળીને બે કિલો ચાંદીની ચોરી કરવામાં આવી છે જેની પોલીસે લીધેલ ફરિયાદમાં માત્ર ૪૫,૦૦૦ જ કિંમત દર્શાવવામાં આવી છે ! હાલમાં વેપારી દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ચાર શખ્સોની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે જો કે, ચાંદીનો એક કિલોનો ભાવ વર્તમાન સમયમાં જે છે તે મુજબ ફરિયાદ કેમ લેવામાં આવી નથી તે પણ એક પ્રશ્ન છે અત્રે ઉલેખનીય છે કે, જો મોટી રકમની ચોરી હોય તો ડીવાયએસપી, એસસી કે રેન્જ આઇજી સુધીના અધિકારીઓને તપાસમાં જોતરાવુ પડે છે જેથી કરીને એનકેન પ્રકારે ચોરીનો આંકડો નીચો દર્શાવવામાં આવે છે તે હક્કિત છે.






Latest News