મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા પાસે વાડીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE











વાંકાનેરના વઘાસીયા પાસે વાડીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત

વાંકાનેર નજીક વઘાસીયા પાસે આવેલ વાડીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામ પાસે ઇમતેખાબભાઈ હાજીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા શ્રવણભાઈ માનકરનો ત્રણ વર્ષનો દીકરો રાજમોહન શ્રવણભાઈ માનકર જાતે માલવી આદિવાસી ત્યાં વાડીમાં આવેલ પાણીની કુંડીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યાર બાદ તેના બોડીને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના મુકેશભાઈ વાસાણી ચલાવી રહ્યા છે

યુવાનનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા સરતાનપર રોડ ઉપર આવેલ ફેઝન વિટ્રીફાઈડ નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો સાધુભાઈ ભગવાનસિંહ બારેલા (30) નામના યુવાનને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News