મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

વાવાઝોડાથી કેમ મૂંઝાય  ?


SHARE











વાવાઝોડાથી કેમ મૂંઝાય  ?
 
વાવાઝોડાની વચ્ચે તો, હવે રોજ રહેવાનુ, છતા પણ મૌન રહી બધુ સહેવાનુ,
આ તો છાતી છપ્પન ની કહેવાય,નવ તું વાવાઝોડાથી કેમ મૂંઝાય ?
સંસાર માં ચક્રવાત તો આવતા જ રહેશે, ડાળીઓ હલશેને,પાંદડાઓ ખરી પડશે,
મૂળિયા મનના તું મજબૂત રાખજે,માનવ તું વાવાઝોડાથી કેમ મૂંઝાય  ?
કડાકા ભડાકા તો થયા જ કરશે, માયાના બંધન માં ઉચાટ પણ આવશે,
ધીરજના ઓસડિયા રૂપી સાવચેતી રાખજે, માનવ તુ વાવાઝોડાથી કેમ મૂંઝાય ?
તારુ હતુ શું ? ને તુ લાવ્યો હતો શું ? ઉપાધિ જગતની છે,ત્રિલોકના નાથને,
બળતરા છોડી બીજાની ,માત્ર સદભાવના રાખજે, માનવ તુ વાવાઝોડાથી કેમ મૂંઝાય ,
યાદ આવે છે પ્રભુ વિપતિ ના સમયે,માણસ તરી જતા હોય છે , સદાય ઈશ્વરની રહેમે.
"રાજ" આખર ઈશ્વર એક જ રખેવાળ,માનવ તુ વાવાઝોડાથી કેમ મુંઝાય ?
રચિયતા:રાજેશભાઇ એસ વ્યાસ " રાજ "ધ્રુવનગર(મોરબી)
 





Latest News