મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

વાવાઝોડાથી કેમ મૂંઝાય  ?


SHARE











વાવાઝોડાથી કેમ મૂંઝાય  ?
 
વાવાઝોડાની વચ્ચે તો, હવે રોજ રહેવાનુ, છતા પણ મૌન રહી બધુ સહેવાનુ,
આ તો છાતી છપ્પન ની કહેવાય,નવ તું વાવાઝોડાથી કેમ મૂંઝાય ?
સંસાર માં ચક્રવાત તો આવતા જ રહેશે, ડાળીઓ હલશેને,પાંદડાઓ ખરી પડશે,
મૂળિયા મનના તું મજબૂત રાખજે,માનવ તું વાવાઝોડાથી કેમ મૂંઝાય  ?
કડાકા ભડાકા તો થયા જ કરશે, માયાના બંધન માં ઉચાટ પણ આવશે,
ધીરજના ઓસડિયા રૂપી સાવચેતી રાખજે, માનવ તુ વાવાઝોડાથી કેમ મૂંઝાય ?
તારુ હતુ શું ? ને તુ લાવ્યો હતો શું ? ઉપાધિ જગતની છે,ત્રિલોકના નાથને,
બળતરા છોડી બીજાની ,માત્ર સદભાવના રાખજે, માનવ તુ વાવાઝોડાથી કેમ મૂંઝાય ,
યાદ આવે છે પ્રભુ વિપતિ ના સમયે,માણસ તરી જતા હોય છે , સદાય ઈશ્વરની રહેમે.
"રાજ" આખર ઈશ્વર એક જ રખેવાળ,માનવ તુ વાવાઝોડાથી કેમ મુંઝાય ?
રચિયતા:રાજેશભાઇ એસ વ્યાસ " રાજ "ધ્રુવનગર(મોરબી)
 





Latest News