વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પર્યાવરણ ચિંતન શિબિર યોજાઇ


SHARE











મોરબીના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પર્યાવરણ ચિંતન શિબિર યોજાઇ

મોરબીના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પર્યાવરણ ચિંતન શિબિરમાં સમગ્ર મોરબી જિલ્લાના એકસોથી વધું પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળી પર્યાવરણ વિષય પર ફળદાયી ચિંતન કર્યું હતું અને  આ શિબિરમાં દીલીપકુમાર પૈજા(કથાકાર), સી.જે. પટેલ (નિવૃત્ત કલેકટર), ડૉ. પનારા, સરડવા, વી.ડી. બાલા, ડૉ.મનુભાઈ કૈલા, જીલેશભાઇ કાલરિયા, પ્રાણજીવન કાલરિયા, જીવરાજબાપા, અંબાલાલ કુંડારિયા, મહેશભાઈ ભોરણિયા, નરભેરામભાઇ સરડવા, મણીભાઈ ગડારા, ડૉ. મધુસુદન પાઠક, દાજીભાઇ ગોહિલ, જશુભા જાડેજા, ભરતભાઇ કાલરિયા વગેરે મહાનુભાવો હાજર હતાં. ત્યારે આ શિબિરમાં હાજર લોકોનું "પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ" બનાવવામાં આવેલ છે. અને આ શિબિરમાં હાજર નથી રહી શકેલ તેવા પર્યાવરણ પ્રેમીઓને આ મંડળમાં જોડાવા આહ્વાન કરાયું છે. આગામી દિવસોમાં ગામેગામ ૭ વ્યક્તિની સમિતિ બનાવી કામનું આયોજન થશે. આ સમિતિમાં પર્યાવરણ પ્રેમીઓ, શિક્ષક, સરપંચ, ધાર્મિક સંસ્થાન અને સ્થાનિક ઉદ્યોગપતિને સામેલ કરાશે. આ જ રીતે તાલુકા કક્ષાની ટીમ અને જિલ્લા કક્ષાની ટીમ બનાવવાની છે. જિલ્લા કક્ષાએ બે ટીમ બનાવી એક ટીમને ઉદ્યોગકારો સાથે સંકલન કરી કામને વેગ આપવાની જવાબદારી અપાશે. આ ચિંતન શિબિરમાં ચર્ચા સત્રનું સંચાલન ડૉ. મનુભાઈ કૈલાએ સંભાળેલ હતુ અને વી.ડી. બાલાએ નવરંગ નેચર ક્લબની પ્રવૃત્તિઓની ઝલક આપી હતી તેમજ મોરબીના પ્રખ્યાત પર્યાવરણ પ્રેમી લેખકના છઠ્ઠા પુસ્તક "ફળપાકોની પ્રાકૃતિક ખેતી" નું વિમોચન કરાયું હતુ આ સમગ્ર કાર્યક્રમના સંચાલનની જવાબદારી જીલેશભાઇ કાલરિયાએ નિભાવેલ હતી






Latest News