વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બીજા માળના ધાબા ઉપરથી નીચે પટકાતા પોલિસ કર્મીના ભાઇનું મોત


SHARE











મોરબીમાં બીજા માળના ધાબા ઉપરથી નીચે પટકાતા પોલિસ કર્મીના ભાઇનું મોત

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડના મકાનમાં બીજા માળના ધાબા ઉપરથી નીચે પટકાતા શરીરે ઇજાઓ થઈ હોવાથી આધેડનું મોત નિપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના એમ-૭૩૨ બ્લોકમાં રહેતા ડાયાભાઈ દલાભાઈ ચૌહાણ (૫૦) પોતાના ઘરે બીજા માળના ધાબા ઉપરથી નીચે પટકાતા માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને મૃત્યુ નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈ ચંદુભાઈ દલાભાઈ ચૌહાણ (૫૬) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે નોંધ કરી આગળની રાબતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.અત્રે નોંધનીય છે કે મૃતકના ભાઈ ચંદુભાઈ દલાભાઈ ચૌહાણ મોરબી તાલુકા પોલિસમાં ફરજ બજાવે છે.બનાવને પગલે પોલિસ પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.






Latest News