મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના ટોળ ગામને પીવાનું પૂરતું પાણી ન મળે તો રાજીનામું દેવાની સરપંચની ચીમકી


SHARE











ટંકારાના ટોળ ગામને પીવાનું પૂરતું પાણી ન મળે તો રાજીનામું દેવાની સરપંચની ચીમકી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ટોળ ગામે છેલ્લા ઘણા સમયથી પાણી માટે લોકો હેરાન છે ત્યારે આ ગામને પૂરતા પ્રમાણમા પીવાનું પાણી ન મળે તો સરપંચ પદેથી રાજીનામું આપવાની સરપંચે ચિઉમકી ઉચ્ચારી છે અને આ અંગેની મામલતદારને રજૂઆત કરી છે

ટંકારા તાલુકાનાં ટોળ ગામના સરપંચ ગઢવાળા અબ્દુલભાઈએ જે લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ટોળ ગામે છેલ્લા ઘણા  સ્માયથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમા આવી રહ્યું નથી જેથી કરીને ટોળ ગામના લોકો 15 દિવસથી હેરાન છે અને આ બાબતે વારંવાર રજૂઆત કરી છે તો પણ પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને ગામ લોકો પાણી માટે હેરાન છે ત્યારે જો ગામના લોકોને પાણી નહીં મળે તો સરપંચ પદેથી રાજીનામું આપવાની સરપંચે ચીમકી ઉચ્ચારી છે વધુમાં સરપંચે કહ્યું છે કે, ટંકારા સંપથી ટોળ ગામ સુધી પાણી આવે છે તેમાંથી પાણીની ચોરી કરવામાં આવી રહી છે જેથી ગામને પાણી મળી રહ્યું નથી માટે આગામી દિવસોમાં પાણી ચોરી કરનાર સામે પણ આકરા પગલાં લેવામાં આવશે






Latest News