મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં ભ્રષ્ટાચાર કરનારાઓની સામે ધારાસભ્ય પગલા ક્યારે લેશે ?: કોગ્રેસ


SHARE











મોરબી પાલિકામાં ભ્રષ્ટાચાર કરનારાઓની સામે ધારાસભ્ય પગલા ક્યારે લેશે ?કોગ્રેસ

મોરબી નગરપાલિકામાં ભાજપના સદસ્યઓએ પાલિકામાં સત્તા હતી ત્યારે આડેધડ રૂપિયા વાપરીને પ્રજાએ ભરેલા ટેક્ષના પેસા વાપરીને પોત પોતાના ખીસા ભરેલ છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે અને તેના  કારણે નગરપાલિકાની પેસાથી ભરેલી તેજોરી હાલમાં ખાલી થઈ ગયેલ છે ત્યારે મોરબી નગરપાલિકા પોતાની તેજોરી ભરવા માટે થઈને હવે પ્રજા ઉપર ૩૦૦ ટકા જેવો  વેરો વઘારો કરવા જઇ રહી છે

હાલના સમયે મોઘવારીએ માઝા મૂકી છે અને લોકો પાસે રોજગાર નથી અને પ્રજા  પોતાનુ ગુજરાન માંડ માંડ  ચલાવી રહેલ છે ત્યારે પ્રજા આર્થિક રીતે  પરેશાન છે અને મોરબી પાલિકા પ્રજાને સુવિધાઓ આપવાના બદલે વિકાસના નામે વેરામાં વઘારો કરવા જઇ રહેલ છે તે કેટલું વ્યાજબી છે ? પહેલા તો પ્રજાના ટેક્સના પેસાનો છેલ્લા બે વર્ષ દરમ્યાન પાલિકાના  ભાજપના શાસકો અને સદસ્યઓએ કરેલ બેફામ ભ્રષ્ટાચાર  અને ગેર ઉપયોગ જેના કારણે નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ ખરાબ થયેલ છે ત્યારે મોરબીના ધારાસભ્ય આ ભ્રષ્ટાચાર કરનારાઓની સામે પગલા ક્યારે લેશે એ પ્રજા જણાવવા માંગે છે

મોરબીના વિકાસના નામે પાલિકા વેરો વઘારતી હોય તો પહેલાંએ જાહેર કરે કે છેલ્લા બે વર્ષમાં ભાજપ શાસિત પાલિકાએ સુ વિકાસ કરેલ છે ? અને  હવે પાલિકાના  વહીવટદાર ક્યો વિકાસ કરવાના છે ? નહીં તો વિકાસના નામે  ભ્રષ્ટાચારથી ખાલી થયેલી તેજોરી ભરતા હોય તો અમે વિરોધ નોંધાવીએ છીએ અને પ્રજાને જરૂરી પ્રાથમિક સુવિધા મળે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબીયા, પૂર્વ પ્રમુખ એલ.એમ. કંઝારીયા, કે.ડી. બાવરવા તેમજ મોરબી શહેર કોગ્રેસ પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ માંગણી કરેલ છે






Latest News