ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીથી રાજકોટ રસ્તામાં ત્રિપાલ સવારી બાઇક સ્લીપ થતાં એકનું મોત: ગુનો નોંધાયો 


SHARE







મોરબીથી રાજકોટ રસ્તામાં ત્રિપાલ સવારી બાઇક સ્લીપ થતાં એકનું મોત: ગુનો નોંધાયો 

મોરબીમાં કામ કરતો અને રાજકોટના દૂધસાગર રોડ ઉપર રહેતો યુવાન મોરબીથી પોતાની દીકરી અને પરિવારજનોને મળવા માટે રાજકોટ જતો હતો દરમિયાન ધ્રુવ નગર ગામ પાસે ત્રિપલ સવારી બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તે બાઈકમાં બેઠેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઈજા થઇ હતી જે બનાવમાં સારવાર લીધા બાદ મૃતક યુવાનની સામે ઇજાગ્રસ્ત યુવાને ફરિયાદ નોંધાવતાં ટંકારા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે 

જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટના દૂધસાગર રોડ ઉપર રહેતા સન્નીભાઈ અરવિંદભાઈ સુરેલા (૨૬) નામનો યુવાન મોરબીમાં કામકાજ કરતો હતો અને તેને લેવા માટે રાજકોટથી પિયુષભાઈ હકાભાઇ નગવાડિયા (૧૭) અને વિશાલભાઈ બાબુભાઈ પરમાર (૨૨) રહે. બંને રેલનગર વાળા બાઇક લઈને મોરબી આવ્યા હતા અને ત્યારથી બુધવારે વહેલી સવારના સાડા ચારથી પાંચ વાગ્યાના અરસામાં મોરબીથી બાઇક લઈને રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ટંકારાના ધ્રુવનગર ગામ પાસે જીવા મામાની જગ્યાની સામેના ભાગમાં રોડ ઉપરથી ત્રિપલ સવારી બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં સન્ની અરવિંદભાઈ સુરેલા (૨૬) નામના યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને પિયુષ અને વિશાલને ઇજાઓ થઇ હોવાથી તે બંનેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવમાં હાલમાં વિશાલભાઈ બાબુભાઈ પરમારની ફરિયાદ લઈને પોલીસે મૃતક સન્ની અરવિંદભાઈ સુરેલાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News