મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

ટંકારામાં જમીના દસ્તાવેજ લેવા જતા અરજદારોને એક જ જવાબ હોનારતમા રેકર્ડ તણાઈ ગયું !


SHARE











ટંકારામાં જમીના દસ્તાવેજ લેવા જતા અરજદારોને એક જ જવાબ હોનારતમા રેકર્ડ તણાઈ ગયું !

તાજેતરમાં ટંકારાના જબલપુર ગામના રહેવાસી પ્રવીણભાઈ પરમાર અને મહેશભાઈ ગોપાણીને પૌસા આપી પંચરોજકામની કોપી લેવાની ફરજ પડી હતી ત્યારે અરજદારો પાસેથી મળતી માહિતી મુજબ કચેરીમાં બેઠેલા કર્મચારી ઉડાવ અને અવ્યાજબી જવાબ આપી અરજદારને વચેટીયા પાસે જવા મજબૂર કરે છે ! અને રેવન્યુ વિભાગના સ્ટાફ દ્વારા આર્જદારોને હોનારતમા દસ્તાવેજ તણાઈ ગયું છે તેવા જ જવાબ આપવામાં આવે છે અને અરજદારે કરેલી અરજીનો જવાબ પણ મળતો નથી જો કે, પહેલા વહીવટ પછી કામ ! આ ખરેખર કયારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે

ટંકારા તાલુકાના જબલપુરના ખેડૂતને એના ખેતીના એક કાગળ માટે એક લાખ આપવા પડ્યા એ મુદે વિડીયો અને ઓડિયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા વચેટીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે જો કે, સૌ મણનો સવાલ તો અહી એ ઊભો થયો છે કે અરજદારે વચેટીયાનો સંપર્ક શા માટે કરી પૈસા આપવા પડ્યા?  ગત માર્ચના આખરમા પમીબેન પરમારે એના પંચરોજકામની નકલ માટે મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી મોરબીને લેખિત અરજી કરી હતી અને ઈન્વડ વેળાએ જ કરમટ અને પ્રજા વત્સલ કચેરીના કર્મચારીએ પોતાના પાસે રહેલો સૌથી ખતરનાક જવાબ કે, આ કાગળ અહી નહી મળે બધુ તણાઈ ગયું છે! મોઢા મોઢ જણાવી દીધું હતું

વાત એટલેથી અટકતી  નવાઇ તો એ છે કે માર્ચ મા કરેલ અરજીનો મે મહિનામાં પણ જવાબ મળ્યો નથી. હવે આ વચેટીયા સુધી પહોંચવામાં મુખ્ય ભુમિકા કોની? અને આ અટકાવવા શું કરવુ પડે અને તંત્ર અને વાતોના વડા કરતા કહેવાતા નેતાઓ અને સંકલન સમિતિના બિન રાજકીય લોકોએ શું કર્યુ છે જેથી આ સમસ્યામાથી સામાન્ય ગરીબ અને કોઈની લાગવગ વિના બંધારણીય અધિકાર મુજબ એનો હક્ક અને હિસ્સો મેળવી શકે ?

હાલે તો મોરબી જિલ્લાની તથા તાલુકા મથકની કચેરીઓમાં વચેટીયાઓ ટંકારા ઘટનાને પગલે સમર વેકેશનમા જતાં રહ્યા છે પરંતુ એ ખુલ્લે આમ કહી રહા છે કે, અમારા વિના અરજદારનો ઉધાર નથી ! અને વાત પણ વહેવારીક કરે છે જ્યા સુધી વહીવટી તંત્ર વહેવારીક નહી થાય ત્યા સુધી વચેટીયાનો કારોબાર બેરોકટોક ચાલતો રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News