મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડીએ વરસાદી પાણીનો કાયમી નિકલ ન થાય તો લોકોએ હોળીઓ વસાવવી પડશે !


SHARE







મોરબીમાં અવની ચોકડીવરસાદી પાણીનો કામી નિકલ ન થાય તો લોકોહોળીઓ વસાવવી પડશે !

મોરબીમાં આવેલ આવેલ અવની ચોકડી પાસે દરવર્ષે વરસાદના પાણી ભરાઈ છે તેનો કાયમી નિકાલ કરવાની અનેક રજૂઆતો કરવામાં આવી છે જો કે, હજુ સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી ત્યારે આગામી ચોમાસા પાહેલા કામ મંજૂર કરીને ચાલુ કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જો ચોમાસા પહેલા કામ નહીં કરવામાં આવે તો લોકોને હોળીઓ વસાવવી પડશે ! તેવું પણ પત્રમાં લખવામાં આવેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે કે, મોરબીમાં અવની ચોકડી પાસે છેલ્લા ચારથી પાંચ વર્ષથી દર વર્ષે ચોમાસામાં વરસાદના પાણી ભરાય છે. અને લોકોને પોતાના ઘરેથી ધંધાના સ્થળે કે નાના બાળકોને સ્કુલે જવામાં અને મહિલાઓને ખરીદી કરવા માટે જવામાં ખુબ જ મુશ્કેલી ઉભી થાય છે કેમ કે, રવાપર વિસ્તારનું પાણી જે પહેલા ન આવતું હતું તે ડાયવર્ટ થઈ ને ખુબ જ મોટા પ્રમાણ ત્યાં આવી રહ્યું છે અને પાણી ભરેલ હોવાના લીધે ત્યાં અકસ્માત થવાની ભીતિ રહેલ છે આ બાબતે સ્થાનિક તંત્રને તેમજ મુખ્યમંત્રી સુધી આગાઉ રજુઆતો કરવામાં આવેલ છે. તો પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી જો આ કામ કરવામાં નહિ આવે તો આગામી ચોમાસામાં લોકોને હોળીઓ વસાવવી પડશે ! જેથી તાકાલીક આ કામ મંજુર કરીને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આવું કરવામાં નહિ આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવામાં આવશે






Latest News