મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને ભર્યુ એવુ પગલુ કે સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને ભર્યુ એવુ પગલુ કે સારવારમાં ખસેડાયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે ત્રિલોકધામ સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાધો હતો જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તે યુવાનને આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં મળેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના પીપળી ગામ પાસે આવેલ ત્રીલોકધામ સોસાયટીમાં રહેતા રામુભાઈ મૂલચંદભાઈ રેકવા (૪૦)એ પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાતા તેને બેભાન હાલતમાં સારવાર માટે નારણભાઈ રેકવા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ કરતા જસપાલસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ત્યાર બાદ તેને લાગી અવતા યુવાને પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને હાલમાં તે યુવાન સારવાર હેઠળ છે.

વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા ધનજીભાઈ પથુભાઈ દંતેશરિયા (૬૫)ને પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ કરી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના માથક ગામે રામજી મંદિર પાસે રહેતા વનરાજસિંહ ફતુભા ઝાલા (૫૫) માથકથી મોરબી રોડ ઉપર આવેલ વાડી પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી વનરાજસિંહને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવો હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી હળવદ પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી છે.






Latest News