મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે ધ કેરાલા સ્ટોરીનો ખાસ શો યોજાયો


SHARE











મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે ધ કેરાલા સ્ટોરીનો ખાસ શો યોજાયો

હાલમાં લવ જેહાદ અને આતંકવાદ ઉપરની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીની ઠેરઠેર ચર્ચા છે અને વધુમાં વધુ યુવતીઓ તેમજ મહિલાઓ આ ફિલ્મને જોવે તેના માટેના આયોજનો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીમાં પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગૃપ સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓ માટે સ્કાય સિનેમા ખાતે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજની બહેન દીકરીઓ હાજર રહી હતી અને સાથે ફિલ્મ જોઈ હતી

લવ જેહાદ અને આતંકવાદને ઉજાગર કરતી ફિલ્મ ધ કેરાલા સ્ટોરી ફિલ્મની ચર્ચા ચાલી રહી છે ત્યારે ગુરુવારે મોરબીમાં આવેલા ગુહમંત્રી હર્ષ સંઘવી કહ્યું હતું કે, સલિમ સુરેશ બનીને કે પછી સુરેશ સલિમ એનીને કોઈને ફસાવશે અને તેની અરજી કે ફરિયાદ આવશે તો તાત્કાલિક પોલીસ તેના ઉપર કાર્યવાહી કરશે તેવું નિવેદન આપ્યું હતું ત્યારે બપોરે મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેન દીકરીઓને ધ કેરાલા સ્ટોરી ફિલ્મ દેખાડવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગૃપ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ વર્ષથી ઉપરની દીકરી, યુવતીઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી અને વર્તમાન સમયમાં દીકરીઓના માતા પિતા માટેની જે સૌથી મોટી ચિંતાનો વિષય છે તેને ઉજાગર કરનારી ફિલ્મને જોઈને સમાજમાં જે મુદામા જાગૃતિ લાવવાની જરૂર છે તે મુદાને હાલમાં યોગ્ય રીતે જ ઉજાગર કરવામાં આવી રહ્યા છે તેવું બ્રહ્મસમાજની બહેન દીકરીઓને જણાવ્યુ હતું અને ખાસ કરીને ગુહમંત્રી દ્વારા લવ જેહાદ બાબતે સરકારની સ્પષ્ટ નીતિની જે વાત કરી તેની પણ બ્રહ્મસમાજની બહેન દીકરીઓને ભારો ભાર પ્રસંસા કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ ધામ મોરબીના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા અને અનિલભાઈ મહેતા તેમજ મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ અતુલભાઈ જોશી અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News