મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ભારે કરી: વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર !


SHARE







ભારે કરી: વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર !

વાંકાનેર શિક્ષણ શાખામાં એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે ત્યારે હાલમાં મળી રહેલી માહિતી મુજબ નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને તેના કાગળ ઉપરના આધાર પુરાવા છે તો પણ હજુ સુધીમાં અધિકારી કે પદાધિકારીએ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવેલ નથી.


મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચારની સમગ્ર જીલ્લામાં ચર્ચા ચાલી રહી છે જો કે, અધિકારી અને પદાધિકારીના પેટના પાણી કેમ હાલતા નથી તે સૌથી મોટો તપાસનો વિષય છે વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ દરમ્યાન આચરવામાં આવેલ ઘણા કૌભાંડ સામે આવ્યા છે જો કે, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યાં વધુ એક ભ્રષ્ટાચારની વિગતો સામે આવી છે, જેમાં નિવૃત શિક્ષકોને નોકરી દરમ્યાન ન ભોગવેલ ૩૦૦ જેટલી રજાનું રોકડ રૂપાંતર નિવૃત સમયે મળતું હોય છે જો કે, ભ્રષ્ટાચારીઓએ એવી કળા કરી કે, જે શિક્ષકો નિવૃત થયા હોય એમનું રજા રોકડ બિલ માર્ચ માસમાં જમા કર્યું અને ત્યારબાદ જૂન માસમાં પણ જમા કર્યું હતુ અને જૂન માસમાં બીજી વખત રજાનું રોકડ બિલ જે જમા કરેલ હોય એ શિક્ષકને બોલાવે અને આ લોકો કહે કે, ભૂલથી બીજી વખત રજાનું રોકડ બિલ જમા થઈ ગયું છે. 

એટલે આવા શિક્ષકોને કહેતા હતા કે, ચેક લખી દો, રકમ લખી દો, સહી કરી દો, રૂપિયા કયા હેડે જમા કરવા એ હેડનું નામ ઓફિસે પૂછીને પછી લખી નાખીશું જો કે, પછી ભ્રષ્ટાચારીઑ પોતાના વ્યક્તિગત ખાતે આ ચેકને જમા કરી દેતા હતા. એવી જ રીતે જે શિક્ષકોની સર્વિસ બુકમાં ૨૫૦ કે તેથી ઓછી  રજા જમા હોય તો આ ભ્રષ્ટાચારી લોકો ૩૦૦ રજાનો રોકડ રૂપાંતર પગાર જમા કરી દે અને એક જ મોડેસ ઓપરેન્ડી મુજબ જે તે શિક્ષકો પાસેથી ઉપરના રૂપિયાનો ચેક લખાવીને પોતાના વ્યક્તિગત ખાતે જમા કરી બેંકનું ડુપ્લીકેટ ચલણ જે તે શિક્ષકોને આપી દેતા આવી રીતે વાંકાનેર શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે, છેલ્લા ચારેક માસથી ગોકળ ગાયની ગતિએ તપાસ ચાલી રહી છે જો કે, ભ્રષ્ટાચારીઓની સામે કયારે અને કેવા પગલાં લેવામાં આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.






Latest News