મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

ભારે કરી: વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર !


SHARE











ભારે કરી: વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર !

વાંકાનેર શિક્ષણ શાખામાં એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે ત્યારે હાલમાં મળી રહેલી માહિતી મુજબ નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને તેના કાગળ ઉપરના આધાર પુરાવા છે તો પણ હજુ સુધીમાં અધિકારી કે પદાધિકારીએ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવેલ નથી.


મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચારની સમગ્ર જીલ્લામાં ચર્ચા ચાલી રહી છે જો કે, અધિકારી અને પદાધિકારીના પેટના પાણી કેમ હાલતા નથી તે સૌથી મોટો તપાસનો વિષય છે વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ દરમ્યાન આચરવામાં આવેલ ઘણા કૌભાંડ સામે આવ્યા છે જો કે, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યાં વધુ એક ભ્રષ્ટાચારની વિગતો સામે આવી છે, જેમાં નિવૃત શિક્ષકોને નોકરી દરમ્યાન ન ભોગવેલ ૩૦૦ જેટલી રજાનું રોકડ રૂપાંતર નિવૃત સમયે મળતું હોય છે જો કે, ભ્રષ્ટાચારીઓએ એવી કળા કરી કે, જે શિક્ષકો નિવૃત થયા હોય એમનું રજા રોકડ બિલ માર્ચ માસમાં જમા કર્યું અને ત્યારબાદ જૂન માસમાં પણ જમા કર્યું હતુ અને જૂન માસમાં બીજી વખત રજાનું રોકડ બિલ જે જમા કરેલ હોય એ શિક્ષકને બોલાવે અને આ લોકો કહે કે, ભૂલથી બીજી વખત રજાનું રોકડ બિલ જમા થઈ ગયું છે. 

એટલે આવા શિક્ષકોને કહેતા હતા કે, ચેક લખી દો, રકમ લખી દો, સહી કરી દો, રૂપિયા કયા હેડે જમા કરવા એ હેડનું નામ ઓફિસે પૂછીને પછી લખી નાખીશું જો કે, પછી ભ્રષ્ટાચારીઑ પોતાના વ્યક્તિગત ખાતે આ ચેકને જમા કરી દેતા હતા. એવી જ રીતે જે શિક્ષકોની સર્વિસ બુકમાં ૨૫૦ કે તેથી ઓછી  રજા જમા હોય તો આ ભ્રષ્ટાચારી લોકો ૩૦૦ રજાનો રોકડ રૂપાંતર પગાર જમા કરી દે અને એક જ મોડેસ ઓપરેન્ડી મુજબ જે તે શિક્ષકો પાસેથી ઉપરના રૂપિયાનો ચેક લખાવીને પોતાના વ્યક્તિગત ખાતે જમા કરી બેંકનું ડુપ્લીકેટ ચલણ જે તે શિક્ષકોને આપી દેતા આવી રીતે વાંકાનેર શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે, છેલ્લા ચારેક માસથી ગોકળ ગાયની ગતિએ તપાસ ચાલી રહી છે જો કે, ભ્રષ્ટાચારીઓની સામે કયારે અને કેવા પગલાં લેવામાં આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.






Latest News