માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મધ્યપ્રદેશની વધુ એક સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી


SHARE











મધ્યપ્રદેશની વધુ એક સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબી પંથક  હાલમાં ગુનેગારો માટે સ્વર્ગ સમાન હોય તેવુ સામે આવી રહ્યું છે. એક પછી એક એવા બનાવો સામે આવી રહ્યા છે કે જેમા ગુના આચરીને આરોપીઓ મોરબી પંથકમાં આશરો મેળવી રહ્યા છે અને અહીંના સિરામીક સહીતના કારખાનાઓ ગુનેગારો માટે સ્વર્ગ સમાન બની રહ્યા છે તેઓ જ વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં મધ્યપ્રદેશના નલખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવતા હાલ એમપી પોલીસે બંનેને હસ્તગત કરી તપાસ માટે એમપી લઈ જવાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના નલખેડા પોલીસ સ્ટેશનના એએસઆઇ નાનુરામ બધેય બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને ત્યાં તેઓના પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૩૬૩ હેઠળ નોંધાયેલ અપરણના ગુનામાં ભોગ બનેલ સગીરા આરોપી આશિષ બાલચંદ રહે.હિરેનખડી ધરોલા જિલ્લો નલખેડા મધ્યપ્રદેશ સાથે મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ ગ્રીજોલ સીરામીક નજીકથી મળી આવતા બંનેને પકડીને એમપી પોલીસ સાથે લઈ ગઇ હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં બે ને ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ પાસે રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં બે યુવાનોને ઇજા પહોંચતા શહેરના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.આ રીક્ષા અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં જયેશ લાલજીભાઇ મોરડીયા (ઉમર ૪૭) રહે.રોયલ પાર્ક પીપળી રોડ અને વિષ્ણુ ધનજીભાઇ કેરાળીયા (ઉમર ૩૬) રહે. હરિઓમ પાર્ક ઘુંટુ તા.મોરબી વાળાઓને ઈજા પહોંચી હતી જેથી બંનેને સારવારમાં ખસેડાયા હતા હાલ બનાવ સંદર્ભે સારવાર કર્યા બાદ હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા અકસ્માત બનાવની આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.






Latest News