મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ગામે ખેતીની જમીનમાંથી ચાલવા બાબતે ખેડૂત પરિવાર વચ્ચે મારામારી: બંને પક્ષેથી ફરિયાદ


SHARE











વાંકાનેરના જોધપર ગામે ખેતીની જમીનમાંથી ચાલવા બાબતે ખેડૂત પરિવાર વચ્ચે મારામારી: બંને પક્ષેથી ફરિયાદ

વાંકાનેર તાલુકાના જોધપર ગામે સીમમાં આવેલ જમીનમાંથી ચાલવાના રસ્તા બાબતે કોર્ટમાં કેસ ચાલુ છે જે બાબતનો ખાર રાખીને બંને પક્ષેથી મારામારી અને બોલાચાલી કરવામાં આવી હતી અને હવે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા જરીનાબેન સલીમભાઈ શેરસિયા જાતે મુસ્લિમ (૩૮)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુમતાજબેન, આરીફભાઇ, મહમદભાઈ, હસીનાબેન મહમદભાઈ, મામદહુસેન રહેમાનભાઈ, સેફુદ્દીન અબ્દુલભાઈ અને અબ્દુલભાઈ નુરમહંમદભાઈની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓના સસરાની જમીન જોધપર ગામની સીમમાં આવેલ છે અને ચાલવાના રસ્તા બાબતે હાલમાં કોર્ટ કેસ ચાલુ છે ત્યારે આરોપી મુમતાજબેન, આરીફભાઈ અને મામદભાઈએ રસ્તામાં વચ્ચે પથ્થર નાખતા તે બાબતે ફરિયાદીએ પથ્થર નાખવાની ના પાડી હતી જેથી કરીને તે લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ ફરિયાદી ઝરીનાબેન તથા સાહેદોને ગાળો આપીને ઝપાઝપી કરી હતી તથા મૂઢ માર મારીને ઈજાઓ કરી હતી. ત્યારબાદ બાકીના આરોપીઓને બોલાવ્યા હતા જેમણે પણ ફરિયાદી અને સાહેદો સાથે બોલાચાલી કરી જપાજપી કરી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામાપક્ષેથી મુમતાજબેન આરીફભાઈ શેરસિયા (૩૮) એ હાલમાં ઝરીનાબેન સેરસીયા, રીમતબેન શેરસીયા, સલીમભાઈ સેરસીયા, અબ્દુલભાઈનો દીકરો, રફિકભાઈ સેરસિયા અને રફિકભાઈનો દીકરો તથા ટ્રેક્ટરના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓની જોધપર ગામની સીમમાં જમીન આવેલ છે અને ચાલવાના રસ્તા બાબતે હાલમાં કોર્ટમાં કેસ ચાલુ છે તે બાબતનો ખાર રાખીને આરોપી ઝરીનાબેન તથા રીમતબેને તેના સસરા સાથે બોલાચાલી કરીને તેને પીઠના ભાગે લાકડી વડે માર માર્યો હતો અને મૂઢમાર મારી ઇજા કરીને ગાળો આપી હતી તેમજ બાકીના આરોપીઓએ બોલાચાલી કરીને ફરિયાદી તથા સાહેદો સાથે ઝપાઝપી કરી હતી અને ટ્રેક્ટરના ચાલકે રસ્તા વચ્ચે ગોઠવેલા પથ્થરોને તોડી નાખીને નુકસાન કરી ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મુમતાજબેન સેરસિયા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ મળીને સાત વ્યક્તિઓની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News