મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ગામે ખેતીની જમીનમાંથી ચાલવા બાબતે ખેડૂત પરિવાર વચ્ચે મારામારી: બંને પક્ષેથી ફરિયાદ


SHARE











વાંકાનેરના જોધપર ગામે ખેતીની જમીનમાંથી ચાલવા બાબતે ખેડૂત પરિવાર વચ્ચે મારામારી: બંને પક્ષેથી ફરિયાદ

વાંકાનેર તાલુકાના જોધપર ગામે સીમમાં આવેલ જમીનમાંથી ચાલવાના રસ્તા બાબતે કોર્ટમાં કેસ ચાલુ છે જે બાબતનો ખાર રાખીને બંને પક્ષેથી મારામારી અને બોલાચાલી કરવામાં આવી હતી અને હવે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા જરીનાબેન સલીમભાઈ શેરસિયા જાતે મુસ્લિમ (૩૮)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુમતાજબેન, આરીફભાઇ, મહમદભાઈ, હસીનાબેન મહમદભાઈ, મામદહુસેન રહેમાનભાઈ, સેફુદ્દીન અબ્દુલભાઈ અને અબ્દુલભાઈ નુરમહંમદભાઈની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓના સસરાની જમીન જોધપર ગામની સીમમાં આવેલ છે અને ચાલવાના રસ્તા બાબતે હાલમાં કોર્ટ કેસ ચાલુ છે ત્યારે આરોપી મુમતાજબેન, આરીફભાઈ અને મામદભાઈએ રસ્તામાં વચ્ચે પથ્થર નાખતા તે બાબતે ફરિયાદીએ પથ્થર નાખવાની ના પાડી હતી જેથી કરીને તે લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ ફરિયાદી ઝરીનાબેન તથા સાહેદોને ગાળો આપીને ઝપાઝપી કરી હતી તથા મૂઢ માર મારીને ઈજાઓ કરી હતી. ત્યારબાદ બાકીના આરોપીઓને બોલાવ્યા હતા જેમણે પણ ફરિયાદી અને સાહેદો સાથે બોલાચાલી કરી જપાજપી કરી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામાપક્ષેથી મુમતાજબેન આરીફભાઈ શેરસિયા (૩૮) એ હાલમાં ઝરીનાબેન સેરસીયા, રીમતબેન શેરસીયા, સલીમભાઈ સેરસીયા, અબ્દુલભાઈનો દીકરો, રફિકભાઈ સેરસિયા અને રફિકભાઈનો દીકરો તથા ટ્રેક્ટરના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓની જોધપર ગામની સીમમાં જમીન આવેલ છે અને ચાલવાના રસ્તા બાબતે હાલમાં કોર્ટમાં કેસ ચાલુ છે તે બાબતનો ખાર રાખીને આરોપી ઝરીનાબેન તથા રીમતબેને તેના સસરા સાથે બોલાચાલી કરીને તેને પીઠના ભાગે લાકડી વડે માર માર્યો હતો અને મૂઢમાર મારી ઇજા કરીને ગાળો આપી હતી તેમજ બાકીના આરોપીઓએ બોલાચાલી કરીને ફરિયાદી તથા સાહેદો સાથે ઝપાઝપી કરી હતી અને ટ્રેક્ટરના ચાલકે રસ્તા વચ્ચે ગોઠવેલા પથ્થરોને તોડી નાખીને નુકસાન કરી ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મુમતાજબેન સેરસિયા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ મળીને સાત વ્યક્તિઓની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News