મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના ટીકરમાં આગ લગતા માલધારીને થયેલ નુકશાન સામે સરકારમાંથી સહાય આપવાની માંગ


SHARE











હળવદના ટીકરમાં આગ લગતા માલધારીને થયેલ નુકશાન સામે સરકારમાંથી સહાય આપવાની માંગ

હળવદનાં ટીકર ગામે રવિવારે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં માલધારીના ૪૦૦ જેટલા અબોલ જીવ માટે રાખેલ ઘાસચારો બળીને ખાખ થઈ ગયેલ છે ત્યારે માલધારી પરિવાર નિરાધાર બની ગયો છે જેથી કરીને મોરબી જિલ્લાના કોંગ્રેસના આગેવાન દ્વારા પશુપાલન મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને માલધારીને સહાય આપવાની માંગ કરવામાં આવી છે

હાલમાં મોરબી જિલ્લાના કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, હળવદના ટીકર ગામે તા ૧૪/૫ નાં બપોરનાં સમયે રબારી કાળુભાઈ માવજીભાઈનાં વાડામાં આગ લાગી હતી જેથી કરીને માલધારીની ૩૦૦ ગાય અને ૧૦૦ ભેંસો માટેના ચારો બળીને ખાખ થઈ ગયેલ છે અને ચાર હજાર મણ કળબ, તેમજ ૭૦૦ મણ ગવારનો ભુક્કો બળીને ખાખ થવાથી માલધારીને લખો રુપિયાનું નુકશાન થયું છે અને આગ લાગી તે વિસ્તારમાં ઈલેકટ્રીકના થાંભલા પણ ન હતા જેથી આગ અકસ્માતે લાગી હોય માલધારી પરિવારને આશરે દસ લાખનું નુકસાન થયેલ છે. જેથી આ પરિવાર અને તેના પશુધન માટે  સરકાર તરફથી સત્વરે સહાય આપવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News