મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના ટીકરમાં આગ લગતા માલધારીને થયેલ નુકશાન સામે સરકારમાંથી સહાય આપવાની માંગ


SHARE











હળવદના ટીકરમાં આગ લગતા માલધારીને થયેલ નુકશાન સામે સરકારમાંથી સહાય આપવાની માંગ

હળવદનાં ટીકર ગામે રવિવારે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં માલધારીના ૪૦૦ જેટલા અબોલ જીવ માટે રાખેલ ઘાસચારો બળીને ખાખ થઈ ગયેલ છે ત્યારે માલધારી પરિવાર નિરાધાર બની ગયો છે જેથી કરીને મોરબી જિલ્લાના કોંગ્રેસના આગેવાન દ્વારા પશુપાલન મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને માલધારીને સહાય આપવાની માંગ કરવામાં આવી છે

હાલમાં મોરબી જિલ્લાના કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, હળવદના ટીકર ગામે તા ૧૪/૫ નાં બપોરનાં સમયે રબારી કાળુભાઈ માવજીભાઈનાં વાડામાં આગ લાગી હતી જેથી કરીને માલધારીની ૩૦૦ ગાય અને ૧૦૦ ભેંસો માટેના ચારો બળીને ખાખ થઈ ગયેલ છે અને ચાર હજાર મણ કળબ, તેમજ ૭૦૦ મણ ગવારનો ભુક્કો બળીને ખાખ થવાથી માલધારીને લખો રુપિયાનું નુકશાન થયું છે અને આગ લાગી તે વિસ્તારમાં ઈલેકટ્રીકના થાંભલા પણ ન હતા જેથી આગ અકસ્માતે લાગી હોય માલધારી પરિવારને આશરે દસ લાખનું નુકસાન થયેલ છે. જેથી આ પરિવાર અને તેના પશુધન માટે  સરકાર તરફથી સત્વરે સહાય આપવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News