તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા નજીક રીક્ષા પલટી: ઇજા પામેલા મુસાફર મહિલા સારવારમાં


SHARE











માળીયા (મી)ના કાજરડા નજીક રીક્ષા પલટી: ઇજા પામેલા મુસાફર મહિલા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામના પાટીયા પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને રિક્ષામાં બેઠેલ મહિલાને ઇજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે વાંકાનેરમાં રહેતા રહીમાબેન અકબરભાઈ મોવર (૪૦) માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામના પાટીયા પાસેથી રિક્ષામાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે જે રિક્ષામાં બેઠા હતા તે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને અકસ્માતના આ બનાવવામાં રહીમાબેન મોવરને ઇજાઓ થઈ હતી માટે તેઓને પ્રાથમિક સારવાર માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનની હદનો હોય આ અંગેની જાણ માળિયા તાલુકો પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ કમલેશ સુખદેવભાઈ રાજપૂત (૩૨) અને રાજેશ મગનભાઈ અદગામા (૪૨) રહે. બંને કુબેર ટોકીઝ પાછળ ધાર વિસ્તાર શોભેશ્વર રોડ મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલ બંને યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી કેનાલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સિકંદર કાસમભાઈ સંધવાણી (૩૬) રહે. માળિયા મીયાણા વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News