મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટર-ધારાસભ્યની હાજરીમાં અર્પિતા આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરા ગૃહઉદ્યોગનો શુભારંભ


SHARE







મોરબીમાં કલેકટર-ધારાસભ્યની હાજરીમાં અર્પિતા આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરા ગૃહઉદ્યોગનો શુભારંભ

મોરબીના શનાળા રોડ હાઉસીંગ બોર્ડ ખાતે કલેકટર પંડયા તેમજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં શ્રી અર્પિતા આરાધ્યા સખીમંડળના ખાખરા ગૃહ ઉદ્યોગનો શુભારંભ કરવામાં આવ્યો હતો.સખી મંડળના પ્રમુખ રંજનબેન તથા કાજલબેન અને મંત્રી નયનાબેન દ્વારા આજુબાજુના વિસ્તારના બહેનોને વિવિધ સ્વરોજગાર આપવામાં આવે છે તે બાબતની છણાવટ કરી હતી.આ કાર્યક્રમમાં અંતે જે બહેનો સ્વનિર્ભર બની જાતે રોજગારી પ્રાપ્ત કરે છે તેવા તમામ બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોરબીમાં વોકલ ફોર લોકલ સાચા અર્થમાં ચરિતાર્થ થયુ છે.પોતાની રીતે પગભર થવા માટેની જરૂરી ટ્રેનિંગ અને માર્ગદર્શન આ સખી મંડળ દ્વારા બહેનોને આપવામાં આવે છે.જે અંગે પ્રમુખ રંજનબેન ભાયાણી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે શુદ્ધ સાત્વિક તેમજ ભેળસેળ વિનાના ઘઉંના લોટમાંથી ખાખરા બનાવવા આવશે અને શહેરમાં જ વાજબી ભાવે સૌને મળી રહે તેવા પ્રયત્નો આ સખી મંડળની બહેનો દ્રારા કરવામાં આવશે.આ તકે ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ જણાવ્યુ હતુ કે, ગામમાં જ  વસ્તુ બને અને ગામના જ લોકો ઉપયોગ કરે તો વધુમાં વધુ બહેનોને રોજગારી આપી શકાય. આ માટે જરૂરી તમામ મદદ કરવા પોતે હંમેશા તત્પર રહેશે તેવી તેઓએ સૌને ખાત્રી આપી હતી.

આ તકે કલેક્ટર પંડ્યાએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, જીલ્લાનુ વહીવટી તંત્ર સ્વરોજગાર માટે હંમેશા મદદ કરતુ રહ્યુ છે અને જરૂરી તમામ મદદ કરશે.આ તકે સિરામિક એસોસિએશન વતી વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઇ બોપલીયા દ્રારા બહેનોને ભરોસો આપ્યો હતો કે ગૃહ ઉધોગમાં બનતા ખાખરા અને ભાખરીનું વેચાણ કરવામાં સિરામિક એસોસિએશન મદદ કરશે.ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્રારા સંચાલિત સ્વાવલંબી ભારત અભિયાનમાં સખી મંડળને પ્રેરકબળ મળી રહે તે બાબતની છણાવટ જીલેશભાઇ કાલરિયાએ કરી હતી.કાર્યક્રમનુ સંચાલન પોતાની આગવી શૈલીમાં દિનેશભાઇ વડસોલા દ્રારા કરવામાં આવ્યુ હતુ






Latest News