મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટર-ધારાસભ્યની હાજરીમાં અર્પિતા આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરા ગૃહઉદ્યોગનો શુભારંભ


SHARE











મોરબીમાં કલેકટર-ધારાસભ્યની હાજરીમાં અર્પિતા આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરા ગૃહઉદ્યોગનો શુભારંભ

મોરબીના શનાળા રોડ હાઉસીંગ બોર્ડ ખાતે કલેકટર પંડયા તેમજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં શ્રી અર્પિતા આરાધ્યા સખીમંડળના ખાખરા ગૃહ ઉદ્યોગનો શુભારંભ કરવામાં આવ્યો હતો.સખી મંડળના પ્રમુખ રંજનબેન તથા કાજલબેન અને મંત્રી નયનાબેન દ્વારા આજુબાજુના વિસ્તારના બહેનોને વિવિધ સ્વરોજગાર આપવામાં આવે છે તે બાબતની છણાવટ કરી હતી.આ કાર્યક્રમમાં અંતે જે બહેનો સ્વનિર્ભર બની જાતે રોજગારી પ્રાપ્ત કરે છે તેવા તમામ બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોરબીમાં વોકલ ફોર લોકલ સાચા અર્થમાં ચરિતાર્થ થયુ છે.પોતાની રીતે પગભર થવા માટેની જરૂરી ટ્રેનિંગ અને માર્ગદર્શન આ સખી મંડળ દ્વારા બહેનોને આપવામાં આવે છે.જે અંગે પ્રમુખ રંજનબેન ભાયાણી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે શુદ્ધ સાત્વિક તેમજ ભેળસેળ વિનાના ઘઉંના લોટમાંથી ખાખરા બનાવવા આવશે અને શહેરમાં જ વાજબી ભાવે સૌને મળી રહે તેવા પ્રયત્નો આ સખી મંડળની બહેનો દ્રારા કરવામાં આવશે.આ તકે ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ જણાવ્યુ હતુ કે, ગામમાં જ  વસ્તુ બને અને ગામના જ લોકો ઉપયોગ કરે તો વધુમાં વધુ બહેનોને રોજગારી આપી શકાય. આ માટે જરૂરી તમામ મદદ કરવા પોતે હંમેશા તત્પર રહેશે તેવી તેઓએ સૌને ખાત્રી આપી હતી.

આ તકે કલેક્ટર પંડ્યાએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, જીલ્લાનુ વહીવટી તંત્ર સ્વરોજગાર માટે હંમેશા મદદ કરતુ રહ્યુ છે અને જરૂરી તમામ મદદ કરશે.આ તકે સિરામિક એસોસિએશન વતી વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઇ બોપલીયા દ્રારા બહેનોને ભરોસો આપ્યો હતો કે ગૃહ ઉધોગમાં બનતા ખાખરા અને ભાખરીનું વેચાણ કરવામાં સિરામિક એસોસિએશન મદદ કરશે.ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્રારા સંચાલિત સ્વાવલંબી ભારત અભિયાનમાં સખી મંડળને પ્રેરકબળ મળી રહે તે બાબતની છણાવટ જીલેશભાઇ કાલરિયાએ કરી હતી.કાર્યક્રમનુ સંચાલન પોતાની આગવી શૈલીમાં દિનેશભાઇ વડસોલા દ્રારા કરવામાં આવ્યુ હતુ






Latest News