વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના ઓમનગર (નવા ખારચીયા) ખાતે રવિવારે બોપલિયા પરિવાર દ્વારા બહુચર માતા મંદિરે પાટોત્સવ


SHARE











મોરબીના ઓમનગર (નવા ખારચીયા) ખાતે રવિવારે બોપલિયા પરિવાર દ્વારા બહુચર માતા મંદિરે પાટોત્સવ

મોરબીના ઓમનગર (નવા ખારચિયા) ખાતે સમસ્ત બોપલિયા પરિવારના શ્રી બહુચરાજી માતાજી મંદિર ખાતે 21 મો વાર્ષિક પાટોત્સવ તથા યજ્ઞ યોજાશે આગામી તા.14-5 ને રવિવારના રોજ ઓમનગર (નવા ખારચિયા) ગામે બહુચરાજી મંદિરનો 21 મો પાટોત્સવ યોજનાર છે સાથેસાથે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવેલું છે.

યજ્ઞના મુખ્ય યજમાન તરીકે વ્રજ દિનેશભાઈ બોપલિયા તેમજ જયશ્રીબેન વ્રજકુમાર બોપલિયા સાતક બેસશે. તેમજ પાટલાના યજમાન તરીકે ગિરીશ મહાદેવભાઇ બોપલિયા, હાર્દિક પ્રવીણભાઇ બોપલિયા, પ્રકાશ લાલજીભાઇ બોપલિયા અને ગૌરવ દિનેશભાઇ બોપલિયા રહેશે.જેમાં તા.13-5 ને શનિવારે રાત્રીના 9:00 કલાકે માતાજીના રાસ ગરબાનું આયોજન કરેલ છે જ્યારે તા.14 ને રવિવારે સવારે 7:00 વાગ્યે દેહશુધ્ધી તથા યજ્ઞ બાદ બપોરના 12:00 કલાકે મહાપ્રસાદ યોજાશે આ મહાપ્રસાદના દાતા તરીકે કાનજીભાઈ જીવાભાઇ બોપલિયા (ખારચિયા હાલ મોરબી) વાળાએ આર્થિક સહયોગ આપ્યો હતો તે ઉપરાંતના દાતાઓ દ્વારા પણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે મોરબીના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ મોરબી બહાર વસતા સમસ્ત બોપલિયા પરિવારને આ પાટોત્સવ તથા યજ્ઞ અને મહાપ્રસાદનો લાભ લેવા આયોજકો દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News