મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના કુલ ૨૦ ગામોના  ૩૫ લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસમાં કરશે ગૃહપ્રવેશ


SHARE











મોરબી જિલ્લાના કુલ ૨૦ ગામોના  ૩૫ લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસમાં કરશે ગૃહપ્રવેશ

મોરબી જિલ્લા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ કાર્યક્રમ આગામી તા.૧૨/૫/૨૩ ના રોજ યોજાશે. લાભાર્થીઓના ગૃહપ્રવેશનો આ કાર્યક્રમ વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર ગાંધીનગર ખાતેના કાર્યક્રમની સમાંતર મોરબી  જિલ્લામાં પણ લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે મોરબી જિલ્લાના તમામ તાલુકામાંના કુલ ૨૦ ગામોના  ૩૫ લાભાર્થીઓનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકાર્પણ કરવામાં આવશે. જે અન્વયે હળવદ તાલુકાનું ૧, માળિયા તાલુકાનાં ૨, મોરબી તાલુકાના ૫, ટંકારા તાલુકાનાં ૭ અને વાંકાનેર તાલુકાનાં ૨૦ એમ કુલ ૩૫ ઘરોનું લોકાર્પણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મેળવી વાંકાનેરના સમથેરવા ગામના વતની સુરાભાઈ પોપટભાઈ મુંધવા જણાવે છે કે, “તાજેતરમાં જ મને આવાસ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. મારું ૧૦ લોકોનું કુટુંબ છે. મારું જૂનું ઘર રહી શકાય તેવી હાલતમાં નહોતું, નળિયા તુટી ગયા હતા ત્યારે સરકાર દ્વારા નવા ઘર માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય આપવામાં આવી. સરકારે ટેકો આપ્યો તો સારું મકાન રહેવા જેવું થયું તે માટે હું સરકારનો આભારી છું.”

 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવા અનેક ઘરવિહોણા પરિવારો માટેની છત બની છે. આ યોજનામાં ઘર માટે તો ૧,૨૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે ઉપરાંત અન્ય યોજનાને સાથે જોડીને પોતાના ઘર નિર્માણમાં કામ કરવાની મજૂરી તેમજ શૌચાલય નિર્માણ પેટે પણ રકમ ચુકવવામાં આવે છે. આમ ગરીબોને પણ સુવિધાસભર ઘરનું ઘર મળી રહે તે તરફનું સર્વોત્તમ પગલું છે પ્રધાનમંત્રી અવાસ યોજના.

આ યોજનાનું મુખ્ય ધ્યેય કાચા અને જર્જરિત મકાનોમાં રહેતા ઘરવિહોણા પરિવારોને ગ્રામીણ વિસ્તારોમાં તમામ પાયાની સગવડો સાથે પાકા મકાનો પુરા પાડવાનું છે. આ યોજના અંતર્ગત લાભાર્થીની ઓળખ અને પસંદગીમાં પારદર્શિતા જળવાય તો જ “બધાને માટે ઘર” એ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. એ વાતની ખાત્રી રાખી આવાસ મળે તે માટે તમામ પાસાઓની ચકાસણી ગ્રામસભા દ્વારા કરીની તેના આધારે સંપૂર્ણ પ્રક્રીયા ઓનલાઈન અનુસરવામાં આવે છે.






Latest News