મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદમાં રેલવે ટ્રેન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત


SHARE











હળવદમાં રેલવે ટ્રેન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત

હળવદમાં બસ સ્ટેશન પાછળના ભાગમાં રહેતો યુવાન ઘરમાં કજિયો થતાં ઘરેથી નીકળી ગયો હતો અને તેને રેલ્વે લાઈન ઉપર જઈને રેલવે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની તેના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ શહેરમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા જગદીશભાઈ શીવાભાઈ મકવાણા (૨૨) નામના યુવાને હળવદમાંથી પસાર થતી રેલવે લાઈન ઉપર જઈને રેલ્વે ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું જેથી કરીને તેના શરીરના બે કટકા થઈ જતાં તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને યુવાનના આપઘાતના આ બનાવની કાનાભાઈ રતાભાઇ મકવાણા (૪૫) રહે હળવદ બસ સ્ટેશન પાછળ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાતેતા મુજબની હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને મગજની તકલીફ હોય ઘણીવાર તે ગાંડા કાઢતો હતો અને ઘરે કજીયો થયા બાદ તે ઘરેથી નીકળી ગયા પછી તેણે રેલ્વે ટ્રેન નીચે પડીને આપઘાત કર્યો છે તેવું તેના પરિવારજનો જણાવી રહ્યા છે






Latest News