વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે દ્વારકાનો યુવાન દવા પી જતા સારવારમાં ખસેડાયો


SHARE











મોરબીના સામાકાંઠે દ્વારકાનો યુવાન દવા પી જતા સારવારમાં ખસેડાયો

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક યુવાન જંતુનાશક દવા પી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો.ઉપરોક્ત બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક રસ્તા ઉપર યશપાલસિંહ જશુભા જાડેજા (ઉંમર ૧૮) રહે.નવાપરા વિસ્તાર ભાતેલ તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા વાળો કોઈ જંતુનાશક દવા પી ગયો હોય તેને શહેરના સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ઉપરોક્ત બનાવ સંદર્ભે સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ તપાસ હાથ ધરી હતી જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, યશપાલસિંહ જાડેજા ધોરણ ૧૦ માં ફેલ થયા બાદ તેની તૈયારી કરતો હતો અને તે પુનઃ પરીક્ષામાં નાપાસ થતાં તે બાબતનું મનમાં લાગી આવતા તેણે ઉપરોક્ત પગલું ભર્યું હતુ..!

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ શોભેશ્વર કોલોની વિસ્તારમાં રહેતો પ્રતાપ ગોકુલચંદ્ર મહાપાત્રો નામનો ૩૧ વર્ષીય યુવાન જુના ઘુંટુ રોડ ઉપર તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી ગયો હતો જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જે અંગે નોંધ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

બાઇક સ્લીપ થતા ઇજા

મોરબીના પંચાસર રોડ શિવનગર ખાતે રહેતા હસમુખભાઇ ઠાકરશીભાઈ રૈયાણી નામના ૪૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરએ તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યું હતું કે હસમુખભાઈ રૈયાણી મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં તેમને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા






Latest News