મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે દ્વારકાનો યુવાન દવા પી જતા સારવારમાં ખસેડાયો


SHARE











મોરબીના સામાકાંઠે દ્વારકાનો યુવાન દવા પી જતા સારવારમાં ખસેડાયો

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક યુવાન જંતુનાશક દવા પી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો.ઉપરોક્ત બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક રસ્તા ઉપર યશપાલસિંહ જશુભા જાડેજા (ઉંમર ૧૮) રહે.નવાપરા વિસ્તાર ભાતેલ તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા વાળો કોઈ જંતુનાશક દવા પી ગયો હોય તેને શહેરના સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ઉપરોક્ત બનાવ સંદર્ભે સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ તપાસ હાથ ધરી હતી જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, યશપાલસિંહ જાડેજા ધોરણ ૧૦ માં ફેલ થયા બાદ તેની તૈયારી કરતો હતો અને તે પુનઃ પરીક્ષામાં નાપાસ થતાં તે બાબતનું મનમાં લાગી આવતા તેણે ઉપરોક્ત પગલું ભર્યું હતુ..!

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ શોભેશ્વર કોલોની વિસ્તારમાં રહેતો પ્રતાપ ગોકુલચંદ્ર મહાપાત્રો નામનો ૩૧ વર્ષીય યુવાન જુના ઘુંટુ રોડ ઉપર તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી ગયો હતો જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જે અંગે નોંધ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

બાઇક સ્લીપ થતા ઇજા

મોરબીના પંચાસર રોડ શિવનગર ખાતે રહેતા હસમુખભાઇ ઠાકરશીભાઈ રૈયાણી નામના ૪૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરએ તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યું હતું કે હસમુખભાઈ રૈયાણી મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં તેમને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા






Latest News