મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં લુટના ગુન્હામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર


SHARE











મોરબીમાં લુટના ગુન્હામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીના જુની પીપળી ગામ પાસે ૨૩ મોબાઈલ ફોન સાથે પકડાયેલા શખ્સને લુટના ગુન્હામાં પકડવામાં આવ્યો હતો અને મોરબીની સેસન્સ કોર્ટમાં આરોપીના રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના એડ્વોકેટ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કર્યા છે.

બનાવની હકિકત એવી છે કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જુદા જુદા હદ વીસ્તારમાં રાત્રીના સમયે કા૨ખાનાનું સરનામુ પુછવાના બહાને માણસોને ઉભા રાખી તેઓના મોબાઈલ ફોન આંચકી પડાવી નાશી જતા હોવાના જુદા જુદા સમયે બનાવો બનેલ હતા દરમ્યાન મોરબી એલ.સી.બી. કચેરીના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ દ૨મ્યાન જુની પીપળી ગામ પાસે આરોપી કાનજી ઉર્ફે કાનો રાજેશભાઈ ડાયાલાલ ચાવડાને નંબ૨ પ્લેટ વગરના મોટર સાયકલ સાથે રોકીને તે શંકાસ્પદ જણાતા આરોપી પાસે રહેલ થેલી ચેક કરી હતી ત્યારે તેની પાસેથી કુલ ૨૩ મોબાઈલ મળી આવેલ હતા જે મોબાઈલના આધાર પુરાવા માંગતા આધાર પુરાવા ન હતા જેથી એલ.સી.બી. પોલીસ દ્રારા આરોપી કાનજી ઉર્ફે કાનો રાજેશભાઈ ચાવડાને ઘોરણસર અટકકરી આરોપી વીરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હા ૨જીનં.૨૩૪૨૨૦૨૩ આઈ.પી.સી.૩૭૯(૧)(૧), ૧૧૪તથા ગુન્હા રજીનં.૨૪૪/૨૦૨૩ આઈ.પી.સી.-૩૭૯(ખ), ૧૧૪ મુજબના ગુન્હાઓ નોંધી આરોપીને નામદાર કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા આરોપીને જયુડીસલ કસ્ટીડીમાં મોકલેલ હતો ત્યારબાદ આ ગુન્હાનુ ચાર્જશીટ મોરબીની કોર્ટમાં થતા એડવોકેટ અમીત વી.ડાભી દ્વ્રારા મોરબીના સેસન્સ કોર્ટમાં આરોપીની રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેમાં એડવોકેટ અમીત વી.ડાભી દ્વારા કરવામાં આવેલ દલીલોએ સાંભળીને આરોપી કાનજીભાઈ ઉર્ફે કાનો રાજેશભાઈ ચાવડાને શરતોને આધીન જામીન મુકત કરતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.






Latest News