મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા-સિટીમાં ડિટેઇન કરવામાં આવેલા વાહનોનો નિકાલ કરવા કવાયત


SHARE







વાંકાનેર તાલુકા-સિટીમાં ડિટેઇન કરવામાં આવેલા વાહનોનો નિકાલ કરવા કવાયત

વાંકાનેર તાલુકા અને સિટીમાં છેલ્લા સમયગાળામાં મોટર વ્હીકલ એક્ટ અને જી.પી. એક્ટ ડિટેઇન કરેલા વાહનોનો નિકાલ કરવાનો છે જેથી કરીને તેના માલિકોએ ત્રણ માહિનામાં અરજી કરવાની રહેશે અને જો અરજી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં તમામ મુદામાલ સરકારમા ખાલસા કરવામા આવશે

વાંકાનેર તાલુકા
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના રીપોર્ટ અનુસાર મોટર વ્હીકલ એક્ટની કલમ-૨૦૭ અન્વયે ૪૧ અને જી.પી. એક્ટ ૮૨(૨) અન્વયે ૩ જેટલા બિનવારસી તેમજ બિનધણીયાતા મુદામાલનો યોગ્ય નિકાલ કરવાનો છે જેથી આ મુદામાલ જે કોઇપણ શખ્સ પોતાનો હોવાનો દાવો ધરાવતા હોય, તેમણે ૩ માસની અંદર માલિકીના આધાર પુરાવા દસ્તાવેજ વાંકાનેરની કોર્ટ, મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી ખાતે અરજી કરવાની રહેશે. આ બિનવારસી મુદામાલના કોઇ માલિક રજુ નહીં થાય તો તમામ મુદામાલ સરકારમા ખાલસા કરવામા આવશે તેવું એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ યુ.વી. કાનાણીની યાદીમાં જણાવાયું છે.

વાંકાનેર સીટી
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના રીપોર્ટ અનુસાર C.R.P.C.-૧૦૨ અન્વયે ૫ અને મોટર વ્હીકલ એક્ટની કલમ-૨૦૭ અન્વયે ૨૧ જેટલા બિનવારસી તેમજ બિનધણીયાતા મુદામાલનો યોગ્ય નિકાલ કરવાનો છે. જેથી આ મુદામાલ જે કોઇપણ શખ્સ પોતાનો હોવાનો દાવો ધરાવતા હોય, તેમણે ૩ માસની અંદર માલિકીના આધાર પુરાવા દસ્તાવેજ સાથે વાંકાનેર કોર્ટ, મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી ખાતે અરજી કરવાની રહેશે. તેવું એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ યુ.વી. કાનાણીની યાદીમાં જણાવાયું છે.






Latest News