મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે યુવાનને મારામારીમાં ઈજા થતાં સારવારમાં


SHARE











મોરબીના શનાળા ગામે યુવાનને મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના શકત શનાળા ગામ પાસે આવેલ સાંઇબાબા મંદિર નજીક રહેતા મુકેશ વીરજીભાઈ ધોળકિયા નામના ૪૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ તેણે તેના રહેણાંક વિસ્તાર પાસે જ રહેતા અશ્વિન મનસુખભાઈ ધોળકિયા અને મોતીબેન મનસુખભાઈ ધોળકિયા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓની સાથે અશ્વિને ઝઘડો કર્યો હતો અને બાદમાં મારામારી કરતો હતો અને તે બાબતનું મોતીબેને ઉપરાણું લઈને એકસંપ કરીને તેને ઢિકાપાટુ વડે માર માર્યો હતો હાલ મુકેશ ધોળકિયાની ફરિયાદ ઉપરથી શનાળા બીટ વિસ્તારના જમાદાર એન.એસ.મેસવાણિયા દ્વારા અશ્વિન ધોળકિયા અને મોતીબેન ધોળકિયા સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા લજાઈ ગામે રહેતા મીત અશોકભાઈ વાઘેલા નામના ૧૮ વર્ષના યુવાને પોતાના ઘરે બપોરના બે વાગ્યાના અરસામાં કોઈ અજાણી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી ત્યાં સારવાર ચાલુ કર્યા બાદ હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા અને રાઇટર સંજયભાઇ દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે આગળની તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામાં સ્મશાન રોડ ઉપર આવેલ રમેશ કોટન મીલની ચાલીમાં રહેતા અકબરમિંયા ઇમામમિંયા કાદરી જાતે સૈયદ નામના ૪૫ વર્ષનો યુવાન મોરબીના માળિયા મિંયાણા તાલુકામાં આવેલા કાજરડા ગામેથી પરત મોરબી તરફ આવતો હતો ત્યારે માળિયાના કાજરડા નજીક આવેલ સુલતાનપીરની દરગાહ નજીક અકસ્માતે તે બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ પામતા અત્રેની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News