મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં ટોયલેટ ક્લીનર પી ગયેલ યુવાન સારવારમાં રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીમાં ટોયલેટ ક્લીનર પી ગયેલ યુવાન સારવારમાં રાજકોટ ખસેડાયો

મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા યુવાને તેના ઘરે ટોયલેટ ક્લીનર પી લેતા તેને ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે મૂળ કુંતાસી ગામના અને હાલ મોરબીના શનાળ રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર ૬૩૧ માં રહેતા મુકેશભાઈ રણમલભાઈ સોઢીયા નામના ૩૮ વર્ષના યુવાને તેના ઘેર કોઈ કારણોસર ટોયલેટ કલીનર પી લેતા તેને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અહીં પ્રાથમિક સારવાર આપીને મુકેશ સોઢીયાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને બનાવ સંદર્ભે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યું હતું કે, મુકેશભાઇએ શરૂ કરેલ જીની ઓટો નામના ધંધામાં તેને ખોટ આવેલ હોય અને પત્ની તથા બાળકો હાલ માવતરએ ચાલ્યા ગયા હોય અને મળવા દેતા ન હોય તે બાબતનું મનમાં લાગી આવવાથી મુકેશભાઇએ ઉપરોકત પગલું ભરી લીધુ હતુ અને હાલ તે રાજકોટ ખાતે સારવાર હેઠળ છે.

એસિડ પી જતાં પરિણીતા સારવારમાં

મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા મોનિકાબેન હિરેનભાઈ મનહરભાઈ પડસુંબીયા નામની ૩૦ વર્ષની મહિલા તેના ઘેર ટોયલેટ સાફ કરવાનું એસિડ પી ગયા હતા જેથી કરીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને બનાવ સંદર્ભે મંગલમ હોસ્પિટલ ખાતેથી જાણ થયેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે પતિ અને સાસુ સાથે નજીવી વાતે ઘર કંકાસ થતો હોય તે બાબતનું મનમાં લાગી આવતા મોનિકાબેને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..!

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર ગામે નવજીવન સ્કૂલની સામે ઘુનડા રોડ ઉપર આવેલ બુટાની વાડી વિસ્તારમાં રહેતા નીતિન રમણીકભાઈ પરમાર નામના ૧૪ વર્ષના સગીરને વાહનમાં જતા સમયે બાઇકમાંથી નીચે પડી જતા ઇજાઓ પહોંચી હતી જેથી તેને અત્રે મધુરમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ નોંધ કરીને તેની આગળની તપાસ શરૂ કરેલ છે.






Latest News