મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ૫.૫ કરોડના ખર્ચે નવું બનેલ બસ પોર્ટ બે મહિનાથી લોકર્પણની રાહમાં !


SHARE







મોરબીમાં ૫.૫ કરોડના ખર્ચે નવું બનેલ બસ પોર્ટ બે મહિનાથી લોકર્પણની રાહમાં !

મોરબી શનાળા રોડ ઉપર આવેલ બસ સ્ટેશનને ૫.૫ કરોડ રૂપિયાના ખર્ચે નવું બનાવવા માટેનું કામ લગભગ બે મહિના જેટલા સમયથી પૂરું થઈ ગયું છે જો કે, આજની તારીખે પણ આ નવ બસ સ્ટેશનને લોકોના ઉપયોગ માટે ખુલ્લુ મૂકવામાં આવેલ નથી જેથી કરીને વિદ્યાર્થીઓ તેમજ નિયમિત રીતે અપડાઉન કરનારા મુસાફરોને તડકામાં અને ધૂળની ડમરીઓ ઊડતી હોય ત્યાં બસની રાહ જોઈને ઊભા રહેવું પડે છે ત્યારે મુસાફરો અને આગેવાનો આ બસ સ્ટેશનને વહેલી તકે શરૂ કરવાની માંગ કરી રહ્યા છે

વર્ષ ૨૦૨૧ ના જૂન મહિનાની ૪ તારીખે ગાંધીનગર ખાતેથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યના વિવિધ બસ સ્ટેશન તેમજ વર્ક સ્ટેશનનું ઇ-ખાતમૂહુર્ત તેમજ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જીલ્લામાં આવેલ મોરબીના નવા બસ સ્ટેશન અને વાકાંનેરના બસ સ્ટેશનના કામનું ખાતમૂહુર્ત તેઓના હસ્તે કરવામાં આવ્યું હતુ અને મોરબીમાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે  બસ સ્ટેશનની જગ્યાએ ૫.૫ કરોડ રૂપિયાના ખર્ચે બસ પોર્ટ બનાવાનું કામ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું જે કામ કોન્ટ્રાકટર દ્વારા લગભગ બે મહિના પહેલા પૂરું કરી નાખવામાં આવ્યું છે અને કોન્ટ્રાકટર તેનો સમાન લઈને મોરબીના નવા બનેલા બસ પોર્ટ ખાતેથી ચાલ્યો ગયો છે

તો પણ મોરબીમાં નવા બનેલા બસ પોર્ટને મુસાફર માટે હજુ સુધી ખુલ્લુ મૂકવામાં આવેલ નથી જેથી કરીને હંગામી ધોરણે બે વર્ષ પહેલા જે નવ વાસ સ્ટેશન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં વિદ્યાર્થી સહિતના મુસાફરોને તડકામાં અને ધૂળની ડમરીઓ વચ્ચે બસની રાહ જોઈને ઊભા રહેવું પડે છે જેથી કરીને વિદ્યાર્થી સહિતના મુસાફરો અને આગેવાનો દ્વારા મોરબીમાં નવા બનેલા બસ પોર્ટને કોઈ નેતાની રાહ જોઈને બંધ રાખવાના બદલે વહેલી તકે ખુલ્લુ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News