મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ૫.૫ કરોડના ખર્ચે નવું બનેલ બસ પોર્ટ બે મહિનાથી લોકર્પણની રાહમાં !


SHARE











મોરબીમાં ૫.૫ કરોડના ખર્ચે નવું બનેલ બસ પોર્ટ બે મહિનાથી લોકર્પણની રાહમાં !

મોરબી શનાળા રોડ ઉપર આવેલ બસ સ્ટેશનને ૫.૫ કરોડ રૂપિયાના ખર્ચે નવું બનાવવા માટેનું કામ લગભગ બે મહિના જેટલા સમયથી પૂરું થઈ ગયું છે જો કે, આજની તારીખે પણ આ નવ બસ સ્ટેશનને લોકોના ઉપયોગ માટે ખુલ્લુ મૂકવામાં આવેલ નથી જેથી કરીને વિદ્યાર્થીઓ તેમજ નિયમિત રીતે અપડાઉન કરનારા મુસાફરોને તડકામાં અને ધૂળની ડમરીઓ ઊડતી હોય ત્યાં બસની રાહ જોઈને ઊભા રહેવું પડે છે ત્યારે મુસાફરો અને આગેવાનો આ બસ સ્ટેશનને વહેલી તકે શરૂ કરવાની માંગ કરી રહ્યા છે

વર્ષ ૨૦૨૧ ના જૂન મહિનાની ૪ તારીખે ગાંધીનગર ખાતેથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યના વિવિધ બસ સ્ટેશન તેમજ વર્ક સ્ટેશનનું ઇ-ખાતમૂહુર્ત તેમજ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જીલ્લામાં આવેલ મોરબીના નવા બસ સ્ટેશન અને વાકાંનેરના બસ સ્ટેશનના કામનું ખાતમૂહુર્ત તેઓના હસ્તે કરવામાં આવ્યું હતુ અને મોરબીમાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે  બસ સ્ટેશનની જગ્યાએ ૫.૫ કરોડ રૂપિયાના ખર્ચે બસ પોર્ટ બનાવાનું કામ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું જે કામ કોન્ટ્રાકટર દ્વારા લગભગ બે મહિના પહેલા પૂરું કરી નાખવામાં આવ્યું છે અને કોન્ટ્રાકટર તેનો સમાન લઈને મોરબીના નવા બનેલા બસ પોર્ટ ખાતેથી ચાલ્યો ગયો છે

તો પણ મોરબીમાં નવા બનેલા બસ પોર્ટને મુસાફર માટે હજુ સુધી ખુલ્લુ મૂકવામાં આવેલ નથી જેથી કરીને હંગામી ધોરણે બે વર્ષ પહેલા જે નવ વાસ સ્ટેશન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં વિદ્યાર્થી સહિતના મુસાફરોને તડકામાં અને ધૂળની ડમરીઓ વચ્ચે બસની રાહ જોઈને ઊભા રહેવું પડે છે જેથી કરીને વિદ્યાર્થી સહિતના મુસાફરો અને આગેવાનો દ્વારા મોરબીમાં નવા બનેલા બસ પોર્ટને કોઈ નેતાની રાહ જોઈને બંધ રાખવાના બદલે વહેલી તકે ખુલ્લુ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News