મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં ૫.૫ કરોડના ખર્ચે નવું બનેલ બસ પોર્ટ બે મહિનાથી લોકર્પણની રાહમાં !


SHARE











મોરબીમાં ૫.૫ કરોડના ખર્ચે નવું બનેલ બસ પોર્ટ બે મહિનાથી લોકર્પણની રાહમાં !

મોરબી શનાળા રોડ ઉપર આવેલ બસ સ્ટેશનને ૫.૫ કરોડ રૂપિયાના ખર્ચે નવું બનાવવા માટેનું કામ લગભગ બે મહિના જેટલા સમયથી પૂરું થઈ ગયું છે જો કે, આજની તારીખે પણ આ નવ બસ સ્ટેશનને લોકોના ઉપયોગ માટે ખુલ્લુ મૂકવામાં આવેલ નથી જેથી કરીને વિદ્યાર્થીઓ તેમજ નિયમિત રીતે અપડાઉન કરનારા મુસાફરોને તડકામાં અને ધૂળની ડમરીઓ ઊડતી હોય ત્યાં બસની રાહ જોઈને ઊભા રહેવું પડે છે ત્યારે મુસાફરો અને આગેવાનો આ બસ સ્ટેશનને વહેલી તકે શરૂ કરવાની માંગ કરી રહ્યા છે

વર્ષ ૨૦૨૧ ના જૂન મહિનાની ૪ તારીખે ગાંધીનગર ખાતેથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યના વિવિધ બસ સ્ટેશન તેમજ વર્ક સ્ટેશનનું ઇ-ખાતમૂહુર્ત તેમજ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જીલ્લામાં આવેલ મોરબીના નવા બસ સ્ટેશન અને વાકાંનેરના બસ સ્ટેશનના કામનું ખાતમૂહુર્ત તેઓના હસ્તે કરવામાં આવ્યું હતુ અને મોરબીમાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે  બસ સ્ટેશનની જગ્યાએ ૫.૫ કરોડ રૂપિયાના ખર્ચે બસ પોર્ટ બનાવાનું કામ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું જે કામ કોન્ટ્રાકટર દ્વારા લગભગ બે મહિના પહેલા પૂરું કરી નાખવામાં આવ્યું છે અને કોન્ટ્રાકટર તેનો સમાન લઈને મોરબીના નવા બનેલા બસ પોર્ટ ખાતેથી ચાલ્યો ગયો છે

તો પણ મોરબીમાં નવા બનેલા બસ પોર્ટને મુસાફર માટે હજુ સુધી ખુલ્લુ મૂકવામાં આવેલ નથી જેથી કરીને હંગામી ધોરણે બે વર્ષ પહેલા જે નવ વાસ સ્ટેશન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં વિદ્યાર્થી સહિતના મુસાફરોને તડકામાં અને ધૂળની ડમરીઓ વચ્ચે બસની રાહ જોઈને ઊભા રહેવું પડે છે જેથી કરીને વિદ્યાર્થી સહિતના મુસાફરો અને આગેવાનો દ્વારા મોરબીમાં નવા બનેલા બસ પોર્ટને કોઈ નેતાની રાહ જોઈને બંધ રાખવાના બદલે વહેલી તકે ખુલ્લુ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News