મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ થયેલા દબાણ દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ થયેલા દબાણ દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ દબાણ કરી લેવામાં આવેલ છે તેને દૂર કરવા માટે હાલમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો. જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ જે રરજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે અગાઉ પાલિકા મેળાનું આયોજન કરતી હતી જો કે, છેલ્લા વર્ષથી તેને બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને સ્મશાન જવાના રસ્તા ઉપર આડેધડ બાંધકામો કરીને દબાણ કરી લેવામાં આવેલ છે જેથી કરીને મોરબીના વીસીફાટકથી લઈને સ્મશાન સુધીના રસ્તા ઉપર જેટલા પણ ગેરકાયદે દબાણ કરવામાં આવેલ છે તેને દૂર કરવાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ત્યાં દારૂ, જૂગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ ચાલુ રહેતી હોય છે તો પણ કોઈ પગલાં ભરવામાં આવતાં નથી જેથી સ્મશાનની હદની માપણી કરીને જેટલા પણ દબાણ હોય તેને દૂર કરવામાં આવે તેમજ સ્મશાનનું રીનોવેશન કરીને ત્યાં ગેસ આધારિત સ્મશાન બનાવવા માંગ કરી છે






Latest News