આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રાયસંગપુર ગામે બીમારીથી કંટાળીને એસિડ પી જતાં વૃદ્ધા સારવારમાં


SHARE













માળીયા (મી)ના રાયસંગપુર ગામે બીમારીથી કંટાળીને એસિડ પી જતાં વૃદ્ધા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના રાયસંગપુર ગામે રહેતા વૃદ્ધા બીમારીથી કંટાળીને પોતાની જાતે એસિડ પી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં વૃદ્ધાને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના રાયસંગપુર ગામે રહેતા વજીબેન પ્રેમજીભાઈ આદ્રોજા જાતે પટેલ (૯૦) નામના વૃદ્ધા પોતાના ઘરે પોતાની જાતે એસિડ પી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે વજીબેનનો લગ્ન ગાળો ૬૫ વર્ષનો છે અને તેઓએ બીમારીથી કંટાળીને પોતાની જાતે એસિડ પી લીધેલ હોવાનું જણાવેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
માળીયા નજીક આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને કચ્છના આડેસરના રહેવાસી દેવાભાઈ વરજાંગભાઈ રબારી (૩૦) નામના યુવાનને ઇજા થઈ હતી અને ઈજા પામેલ યુવાનને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા
મોરબી મકરાણીવાસમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જાવેદ રસુલભાઈ મિયાણા (૩૨) રહે નવા ડેલા રોડ મોરબી વાળાને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી ર ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ફિનાઇલ પીધું
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતો દિલીપ મનસુખભાઈ મકવાણા (૩૨) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઘરે ભૂલથી કોઈ કાળા કલરનું ફિનાઈલ પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની પ્રાથમિક નોંધ કરી આ બનાવની ટંકારા તાલુકા પોલીસ જાણ કરી હતી






Latest News