મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક તરફ જવાના રસ્તા ઉપર સમર્પણ હોસ્પિટલ પાસે ટ્રક ચાલકે છકડો રિક્ષાને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે રીક્ષા પલટી મારી જતાં રિક્ષામાં બેઠેલા બાળકને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત બાળકને રાજકોટ સુધી સારવારમાં લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવવામાં હાલમાં ટ્રક ચાલક સામે રીક્ષા ચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ માળિયા મીયાણા તાલુકાના સરવાડ ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ઘૂટું ગામે નાગબાઈના મંદિર પાસે રહેતા રાજુભાઈ સવજીભાઈ દેલવાણીયા જાતે દેવીપુજક (૨૧)એ ટ્રક નં જીજે ૧૦ એક્સ ૯૬૯૮ ના ચાલકની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક તરફ જવાના રસ્તા ઉપર સમર્પણ હોસ્પિટલ પાસેથી તે પોતાના હવાલા વાળી છકડો રીક્ષા નં જીજે ૩ બીએક્સ ૬૦૨૯ લઈને જતો હતો ત્યારે તેનો કૌટુંબિક ભાઈ  રૂખડ શૈલેષભાઈ દેલવાડીયા (૧૩)  રિક્ષામાં પાછળના ભાગે બેઠો હતો ત્યારે ટ્રક ચાલકે પાછળથી રિક્ષાને ટક્કર મારી હતી જેથી રીક્ષા પલટી મારી જતા રૂખડને ગંભીર ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તે બાળકનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં રીક્ષા ચાલકે ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

મારમારીમાં ઇજા
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતા ફરઝાનાબેન અલ્તાફભાઈ કોઠીયા (૨૫) નામની મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા હોવાનું બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળ્યું છે.






Latest News