મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને બે શખ્સોએ લાકડી વડે માર માર્યો


SHARE











મોરબીના જેતપર ગામે પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને બે શખ્સોએ લાકડી વડે માર માર્યો

મોરબી તાલુકાના જેતપર ગામે મકાનની આગળના ભાગમાં આવેલ પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને રોકીને “આ પ્લોટ મારો છે” તેવું કહીને બોલાચાલી કરી ગાળો આપીને લાકડીના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ સવશીભાઈ માલણીયા જાતે દેવીપૂજક (૨૫)એ હાલમાં જુસબભાઈ નથુભાઈ કૈઇડા અને મહેબુબભાઇ રહે. બંને જેતપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી પોતાના મકાન આગળ આવેલ પોતાની જમીનના પ્લોટમાં દિવાલ બનાવતો હતો ત્યારે આરોપીએ ત્યાં આવીને “આ પ્લોટ મારો છે” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ગાળો આપીને જુસબભાઈ નથુભાઈ કૈઇડાએ લાકડીના ધોકા વડે ફરિયાદી યુવાનને ડાબા પગમાં માર માર્યો હતો અને બંને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વિક્રમભાઈએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા તન્જીમભાઈ ઇસ્માઈલભાઈ વકાલીયા (૨૫) નવસારીના જલાલપુર પાસે આવેલ રેસમાં ચોકડી પાસેથી એક્ટિવા લઈને જતા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની સ્થાનિક બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News