મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામે પાણીનો જર્જરિત ટાંકો તોડીને નવો બનાવા રાજ્યના મંત્રીને રજૂઆત


SHARE











હળવદના સુરવદર ગામે પાણીનો જર્જરિત ટાંકો તોડીને નવો બનાવા રાજ્યના મંત્રીને રજૂઆત

હળવદના સુરવદર ગામે પાણીનો ટાંકો જર્જરિત છે. અને આ પાણીના ટાંકાને રીપેરીંગ કરવા માટે સ્થાનિક લોકોએ અનેકવાર રજુઆત કરી છે તો પણ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરાએ રાજયના પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને નવો ટાંકો બનાવવાની માંગ કરેલ છે

હાલમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરાએ મંત્રી કુંવરજી બાવળીયાને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, સુરવદર ગામે આવેલ પાણીનો ટાંકો જર્જરીત છે અને તૂટી પડે તેમ છે. જેથી આ ટાંકો પડે અને કોઈ ઘટના બને તે પહેલા યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે  અને ભવિષ્યમાં ગામમાં પાણીની અછત સજાર્ય તે પહેલા કામ કરવામાં આવે તે અનિવાર્ય છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, સુરવદર ગામના સરપંચને સાથે રાખીને તેઓએ પાણીના ટાંકાની મુલાકાત લીધી હતી અને સમસ્યાનો તાગ મેળવ્યો હતો તેના આધારે હાલમાં તેઓએ રજૂઆત કરેલ છે 






Latest News