મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

આસ્થા અને શ્રધ્ધાના પ્રતિકસમાં મોરબીના શ્રી ધક્કાવાળી  મેલડી મંદિરે 31મી માતાજીનો નવરંગ માંડવો યોજાશે


SHARE











આસ્થા અને શ્રધ્ધાના પ્રતિકસમાં મોરબીના શ્રી ધક્કાવાળી  મેલડી મંદિરે 31મી માતાજીનો નવરંગ માંડવો યોજાશે
 
મોરબી પંથકમાં આસ્થા અને શ્રધ્ધાના પ્રતિકસમાં જેની ધર્મની ધજા હેઠળ મંદિરની આવકમાંથી સમૂહ લગ્ન, દવાખાનું, ગાયોને ઘાસચારો, નવરાત્રી મહોત્સવ, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, સહિત  સેવાકીય પ્રવૃતિઓ ચાલે છે તે મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે માતાજીના નવરંગ માંડવાનું આયોજન તા ૩૧-૩ ને શુક્રવારે કરાયું છે.
 
સવારે શુભ ચોઘડીએ થાંભલી રોપણ સાંજે  ૫:૩૦ વાગ્યે ભુવાશ્રીના સામૈયાને સાંજે ૬ વાગે મહાપ્રસાદ રાત્રે ૯:૩૦ વાગ્યે ડાકલાની રમઝટ જેમાં રાવળદેવ મિલનભાઈ ને કાથળભાઈ (મોટી જોગણીવાળા) માતાજીના દુહા છંદ ગરબાની રમઝટ બોલાવશે.માતાજીના ભુવા જીવણભાઈ ગરીયા, દેવાભાઈ ધીરુભાઈ, મનુભાઈ ગોવિંદભાઈ, બાબુભાઈ, સહિત ઉપસ્થિત રહેશે ધર્મપ્રેમી જનતાને માંડવાના દર્શનને મહાપ્રસાદનો લાભ લેવા શ્રી ધક્કાવાળી મેલડી મંદિર તરફથી આમંત્રણ પાઠવ્યું છે.





Latest News