હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ચૈત્રમાસની ઓળી એટલે નવપદની ઓળી પુણ્યની ઝોળી ભરવાનું અમોઘ સાધન: રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ


SHARE











ચૈત્રમાસની ઓળી એટલે નવપદની ઓળી પુણ્યની ઝોળી ભરવાનું અમોઘ સાધન: રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ

મોરબીમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ મોરબીમાં ચારે ફિરકાની સામૂહિક શાશ્વતી ચૈત્રમાસની ઓળીમાં પૂજ્ય ગુણરત્નશુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ગુરુદેવ રશ્મીરત્ન સુરીશ્વરજી મ.સા.નો મંગલ પ્રવેશ થયો છે.

ગુરુદેવ રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજના મંગલ પ્રવેશ નિમિત્તે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. ગુરુદેવ જૂનાગઢ ગિરનાર તીર્થથી ૪૫૦ કિલોમીટરનો ઉગ્ર વિહાર કરીને ચૈત્રમાસની શાશ્વત ઓળીમાં નિશ્રા આપવા માટે મોરબી સંઘમાં પધાર્યા છે. ત્યારે નગર દરવાજાથી ગુરુદેવનું સામૈયું કરવામાં આવ્યું હતું. સામૈયામાં ૨૭ શુકનવાળી સુહાગન બહેનો તથા ૩૬ બાળાઓ દ્વારા ગુરુદેવના વધામણા કરાયા હતા.

આ સામૈયુ દરબારગઢના શ્રાવકોના ઉપાશ્રમયમાં ઉતર્યું હતું. ત્યારબાદ ધર્મસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુરુદેવ રશ્મીરત્ન સુરીશ્વરજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ચૈત્રમાસની ઓળી એટલે નવપદની ઓળી પુણ્યની ઝોળી ભરવાનું અમોઘ સાધન છે. નવપદ એજ જિનશાસન છે અને જિનશાસન એજ નવપદ છે. નવપદ બહાર જિનશાસનની એક પણ આરાધના નથી.

સાથે જ ચૈત્ર સુદ 13ના દિવસે પ્રભુવીરના ૨૬૨૧ મા જન્મ કલ્યાણક નિમિત્તે રથયાત્રા સાથે શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં મોરબી સંઘના ચારે ફિરકાના સંઘો જોડાશે. મોરબી સંઘના ૫૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ૪૦ થી વધુ સાધુ, સાધ્વીજી, ભગવંતોનું એક સાથે આગમન થયું છે.






Latest News