હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં પૈસાની લેતીદેતીના મામલે સામસામી મારામારીમાં ત્રણને ઇજા


SHARE











મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં પૈસાની લેતીદેતીના મામલે સામસામી મારામારીમાં ત્રણને ઇજા

મોરબીના સબજેલ ચોકની સામેના વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પૈસાની લેતીદેતી મામલે થયેલ મારામારીમાં ત્રણને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા જે પૈકી એકને રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સબજેલ ચોક સામે થયેલ મારામારીના બનાવમાં કાનજી મગનભાઇ ઝાલા (૪૦), ઉદય કાનજી ઝાલા (૧૯) અને સામેવાળા ભરત ગોવિંદ પરમાર (૨૫) ને ઇજાઓ પહોંચતા ત્રણેયને સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા જે પૈકી ભરતભાઈ પરમારને માથાના ભાગ ઇજા હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ હાથ ધરી હતી અને બાદમાં ઉદય કાનજી ઝાલા (૧૯) રહે. સબજેલ ચોક સામે મોરબી વાળાએ સામેવાળા ભરત ગોવિંદ પરમાર, ગોવિંદ મગન પરમાર અને માધવ મગન પરમાર ની સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમની પાસે ભરત પરમારે પૈસાની માગણી કરતા પોતે ભાગવા જતા નીચે પડી ગયો હતો અને જેથી તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને બાદમાં તે તથા તેમના પિતા કાનજીભાઈ સામેવાળાના ઘર પાસેથી શેરીમાંથી નીકળતા ઉપર આધારિત કરી ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી ધક્કા મૂકી કરી હતી જે અંગે હાલ ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસના એએસઆઇ જે એ ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા વૃદ્ધનો હાથ કામ દરમિયાન શેરડીના રસના ચિચોડામાં આવી જતા ઇજા પામતા તેઓને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા.મોરબી આયુષ હોસ્પિટલના સૂત્રો દ્વારા મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, મોરબીના વજેપર વિસ્તારમાં વાડી વિસ્તારમાં રહેતા નરસીભાઈ મગનભાઈ કણજારીયા નામના ૬૮ વર્ષીય વૃદ્ધ મોરબીના લીલાપર ચોકડી પાસે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે આવેલ રસના ચિચોડામાં કામ કરતા હતા ત્યારે અકસ્માતે તેઓનો હાથ રસના ચિચોડામાં આવી જતા ઈજાઓ થતા તેમને સારવારમાં લાવવામાં આવ્યા છે હાલ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એન.જે.ખડિયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News