મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત વીર માંગળાવાળો-પદ્માવતી નાટક યોજાયુ


SHARE







મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત વીર માંગળાવાળો-પદ્માવતી નાટક યોજાયુ

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી માતૃવંદના ટ્રસ્ટ દ્વારા એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનુ આયોજન ૨૩ માર્ચના રોજ કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે વીર માંગળાવાળો અને પદ્માવતી નાટક યોજાયું હતું અત્રે ઉલેખનીય છે કે, દેશમાં ભગતસિંહરાજ્યગુરુ અને સુખદેવની શહાદતની યાદ ૨૩ માર્ચને શાહિદ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે ત્યારે મોરબીમાં છેલ્લા ૧૧ વર્ષથી માતૃવંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિવસે જુદાજુદા કાર્યક્રમ કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે ૨૩ માર્ચના રોજ એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમમાં વીર માંગળાવાળો અને પદ્માવતી નાટકનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ મોરબીના એસપી રોડ તથા ઘુનડા રોડ વચ્ચે આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે રાખવામા આવ્યો હતો ત્યારે પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમ ભણવડના ૭૦ વિદ્યાર્થીઓ સહિત ૧૦૦ જેટલા કલાકારો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેને જોવા માટે મોટી સંખ્યામાં મોરબીના લોકો આવ્યા હતા






Latest News