મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં પાડોશીઓ વચ્ચે થયેલ મારામારીમાં ચારને ઈજા


SHARE











મોરબીમાં પાડોશીઓ વચ્ચે થયેલ મારામારીમાં ચારને ઈજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ થયેલ મારામારીમાં ચાર લોકોને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં રહેતા અહેમદહુસેન ઈબ્રાહીમભાઇ ભટ્ટી નામના ૩૭ વર્ષના યુવાનને તેની પાડોશમાં રહેતા સાજીદ નામના વ્યક્તિ દ્વારા ઝઘડો કર્યા બાદ છરી વડે હુમલો કરવામાં આવતા ઈજાઓ થતા અહેમદહુસેનને તેમના પત્ની રૂબીનાબેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા તપાસ કરવામાં આવી હતી.દરમિયાનમાં સામેવાળા સાહિલ તાજમામદ ભટ્ટી (૧૩), તાજમામદ કરીમ ભટ્ટી (૫૫) અને રજિયાબેન તાજમામદ ભટ્ટી (૪૦) રહે.ત્રણેય ૧-કુલીનગર વીસીપરા વાળાઓને પણ મારામારીના બનાવમાં ઈજા પહોંચેલી હોય ત્રણેયને પણ સિવિલે સારવાર માટે લવાયા હતા તે બનાવની પણ આગળની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

વધુ પડતી દવા પી જતા સારવારમાં

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા જોન્સનગરમાં રહેતા જીસાન હનીફભાઈ બુખારી નામના ૩૦ વર્ષના યુવાનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેણે વધુ પડતી માથાના દુખાવાની દવા પી લીધી હોય તેને સારવાર માટે સિવિલ ખસેડાયો હતો હાલ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોવાથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સુપર ટોકીઝ નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જ્યાં રોડ ઉપર થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં અમરેલી (ધારી) ના વતની શહેનાઝશા મુનાફશા ફકીર (ઉંમર ૩૦) નામના યુવાનને ઇજા થતા સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે ગ્રીનચોકની હનુમાન ડેરી શેરીમાં રહેતા સંજયભાઈ કાંતિલાલ ગોહીલ નામના ૩૭ વર્ષીય યુવાનને બાઈક લઈને જતા સમયે ડીલક્ષ પાન નજીક અજાણ્યા વાહન સાથે બાઈક અથડાવાના બનેલ બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટે લઇ જવાયો હતો અને બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરાયેલ છે






Latest News