મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા (સુ) ગામે કામ ધંધો બરાબર ચલતો ન હોય યુવાને અજુગતું પગલું ભરી લેતા મોત


SHARE











ટંકારાના નેસડા (સુ) ગામે કામ ધંધો બરાબર ચલતો ન હોય યુવાને અજુગતું પગલું ભરી લેતા મોત

ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો ભાઈ ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને હોસ્પિટલ મારફતે આ બનાવવાની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ટેન્શનમાં આવીને યુવાને આપઘાત કર્યો હોવાનું હાલમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બનાવની જાણવા મળતી પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે રહેતા રમેશભાઈ આલજીભાઈ પંચાલ (૪૩)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના ભાઈ વિનોદભાઈ આલજીભાઈ પંચાલ તેના મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ટંકારા હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલા આઈ.ટી. જામ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ઘર ચલાવવામાં મુશ્કેલી હતી જેથી તેને પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું મૃતક યુવાનના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે.

પરિણિતા સારવારમાં
મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ વીસીપરા ખાડા વિસ્તારમાં રહેતા લતાબેન ગૌતમભાઈ ચૌહાણ (૪૦) ને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચેલી હોય તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા સિવિલ હોસ્પિટલ તરફથી જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી કાજલબેન અરવિંદભાઈ રાઠોડ નામની ૨૯ વર્ષની મહિલાને તેના ઘેર તેના પતિએ માર મારતા તેણીને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી બનાવવા અંગે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News