મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ ગામે મારામારી : દેરાણી અને જેઠાણીએ નોંધાવી સામસામી ફરિયાદ


SHARE







વાંકાનેરના કણકોટ ગામે મારામારી : દેરાણી અને જેઠાણીએ નોંધાવી સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે મહિલા અને તેના માવતરથી આવેલા લોકોને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે જુદી જુદી ફરિયાદ નોંધાય છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે સામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પાયલબેન વિજયભાઈ ડાભી (૨૪) એ તેના સાસુ મધુબેન ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી, વિજુબેન વિપુલભાઈ ડાભી, પ્રકાશભાઈ ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી, ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી અને વિપુલ ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી રહે બધા કણકોટ વાળા સામે ફરિયાદ નોંધાવ્યું છે જેમાં તેને જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઇ કહ્યું હતું કે તારા માવતર વાળા તારા ઘરે આવવા ન જોઈએ અને ફરિયાદીના માવતર તેના ઘરે આવ્યા હતા જેથી કરીને ફરિયાદી અને સાહેદોને જેમ ફાવે તેમ ગાળો બોલીને ઢીકા પાટુનો માર માર્યો હતો તથા લાકડી, કુહાડી, ઇંટ તથા સ્ટીલના તપેલા વડે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામા પક્ષેથી વિજુબેન વિપુલભાઈ ડાભી (૨૪) એ રઘુભાઈ વેલજીભાઈ વાઘેલા, વિપુલભાઈ રઘુભાઈ વાઘેલા, ભરતભાઈ વાલજીભાઈ ગાંગડીયા, મુકેશભાઈ શામજીભાઈ સારદિયા અને પાયલબેન વિજયભાઈ ડાભીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના પતિ સાથે આરોપીઓને જૂનું મન દુઃખ હોય જેનું સમાધાન માટે ફરિયાદી તથા સાહેદો કહેવા માટે જતા આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને તેઓએ ફરિયાદી તથા સાહેદોને ઢીકા પાટુનો માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી અને પાઇપ વડે માર્યો હતો જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નથી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ મારામારીના આ બનાવમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાયેલ હોય પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.






Latest News