મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ ગામે મારામારી : દેરાણી અને જેઠાણીએ નોંધાવી સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરના કણકોટ ગામે મારામારી : દેરાણી અને જેઠાણીએ નોંધાવી સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે મહિલા અને તેના માવતરથી આવેલા લોકોને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે જુદી જુદી ફરિયાદ નોંધાય છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે સામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પાયલબેન વિજયભાઈ ડાભી (૨૪) એ તેના સાસુ મધુબેન ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી, વિજુબેન વિપુલભાઈ ડાભી, પ્રકાશભાઈ ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી, ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી અને વિપુલ ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી રહે બધા કણકોટ વાળા સામે ફરિયાદ નોંધાવ્યું છે જેમાં તેને જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઇ કહ્યું હતું કે તારા માવતર વાળા તારા ઘરે આવવા ન જોઈએ અને ફરિયાદીના માવતર તેના ઘરે આવ્યા હતા જેથી કરીને ફરિયાદી અને સાહેદોને જેમ ફાવે તેમ ગાળો બોલીને ઢીકા પાટુનો માર માર્યો હતો તથા લાકડી, કુહાડી, ઇંટ તથા સ્ટીલના તપેલા વડે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામા પક્ષેથી વિજુબેન વિપુલભાઈ ડાભી (૨૪) એ રઘુભાઈ વેલજીભાઈ વાઘેલા, વિપુલભાઈ રઘુભાઈ વાઘેલા, ભરતભાઈ વાલજીભાઈ ગાંગડીયા, મુકેશભાઈ શામજીભાઈ સારદિયા અને પાયલબેન વિજયભાઈ ડાભીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના પતિ સાથે આરોપીઓને જૂનું મન દુઃખ હોય જેનું સમાધાન માટે ફરિયાદી તથા સાહેદો કહેવા માટે જતા આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને તેઓએ ફરિયાદી તથા સાહેદોને ઢીકા પાટુનો માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી અને પાઇપ વડે માર્યો હતો જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નથી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ મારામારીના આ બનાવમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાયેલ હોય પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.






Latest News