મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ ગામે મારામારી : દેરાણી અને જેઠાણીએ નોંધાવી સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરના કણકોટ ગામે મારામારી : દેરાણી અને જેઠાણીએ નોંધાવી સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે મહિલા અને તેના માવતરથી આવેલા લોકોને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે જુદી જુદી ફરિયાદ નોંધાય છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે સામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પાયલબેન વિજયભાઈ ડાભી (૨૪) એ તેના સાસુ મધુબેન ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી, વિજુબેન વિપુલભાઈ ડાભી, પ્રકાશભાઈ ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી, ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી અને વિપુલ ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી રહે બધા કણકોટ વાળા સામે ફરિયાદ નોંધાવ્યું છે જેમાં તેને જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઇ કહ્યું હતું કે તારા માવતર વાળા તારા ઘરે આવવા ન જોઈએ અને ફરિયાદીના માવતર તેના ઘરે આવ્યા હતા જેથી કરીને ફરિયાદી અને સાહેદોને જેમ ફાવે તેમ ગાળો બોલીને ઢીકા પાટુનો માર માર્યો હતો તથા લાકડી, કુહાડી, ઇંટ તથા સ્ટીલના તપેલા વડે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામા પક્ષેથી વિજુબેન વિપુલભાઈ ડાભી (૨૪) એ રઘુભાઈ વેલજીભાઈ વાઘેલા, વિપુલભાઈ રઘુભાઈ વાઘેલા, ભરતભાઈ વાલજીભાઈ ગાંગડીયા, મુકેશભાઈ શામજીભાઈ સારદિયા અને પાયલબેન વિજયભાઈ ડાભીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના પતિ સાથે આરોપીઓને જૂનું મન દુઃખ હોય જેનું સમાધાન માટે ફરિયાદી તથા સાહેદો કહેવા માટે જતા આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને તેઓએ ફરિયાદી તથા સાહેદોને ઢીકા પાટુનો માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી અને પાઇપ વડે માર્યો હતો જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નથી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ મારામારીના આ બનાવમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાયેલ હોય પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.






Latest News