મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

નિતીમતાને સલામ : હળવદમાં મહિલાએ એક લાખની સોનાની લકી મૂળ માલિકને પરત કરી


SHARE







નિતીમતાને સલામ : હળવદમાં મહિલાએ એક લાખની સોનાની લકી મૂળ માલિકને પરત કરી

કોણે કહ્યુ નાના માણસો ઈમાનદાર નથી હોતા હજુ ઈમાનદારી જીવંત છે અને તેનું જીવતુ જાગતુ ઉદાહરણ જનકબેન રમેશભાઈ મૂળજીભાઈ સોનગ્રાએ પુરૂ પાડયુ છે જનકબેન હળવદમાં રહે છે અને મજુરી કામ કરે છે અને જનકબેન સોનગ્રાને એકાદ લાખની કિંમતની આસરે બે તોલાની સોનાની લકી મળી આવી હતી અને જનકબેન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ લકી જેની છે તેમને પાછી આપી દેવી છે ત્યારે વેગડવાવના એક વ્યક્તિનો ફોન હવદના રહેવાસી અજજુભાઇને આવ્યો હતો ત્યાર બાદ જેની લકી હતી તેમની પોસ્ટ સોશ્યલ મિડીયામાં બધે ફેરવી અને ત્યારબાદ ટુંકાજ સમયમાં જેમની લકી ખોવાઇ ગઈ હતી તેમનુ નામ સામે આવ્યુ હતુ જેઓની લકી ખોવાઇ હતી તેઓનું નામ વાસુદેવભાઇ રવજીભાઈ હતુ તેઓ પણ દલવાડી સમાજના જ હતા.બાદમાં મુળ માલિકમાં ફોન આવ્યો ત્યારે તાત્કાલિક જેમની લકી હતી તે વાસુદેવભાઇ હળવદ આવી પહોચ્યા હતા અને જનકબેને તેઓને તેમની કિંમતી લકી પરત કરતા વાસુદેવભાઇએ જનકબેનનો આભાર માન્યો હતો.આવા હડહડતા કળયુગમાં પણ આજે અનેક એવા લોકો છે જે પૈસાથી તો અમીર નથી હોતા પણ મનથી ચોક્કસ અમીર હોય છે અને તે પૈકીના જ એક એવા જનકબેન સોનગ્રા કે જેઓએ રૂપિયા એકાદ લાખની કિંમતની લકી મળી આવેલ હતી તે બે તોલાની સોનાની લકી તેઓએ લકીના મૂળ માલિકને શોધીને પરત કરી હતી અને આજના આ કળિયુગના સમયમાં પણ નીતિમત્તા અને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું 






Latest News