મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપર બીમારીથી કંટાળી અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત


SHARE











મોરબીના રવાપર રોડ ઉપર બીમારીથી કંટાળી અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી જઈને તેના ઘેર અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત નિપજયુ હતું.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નંબર-૪ માં આવેલ સતવારા બોર્ડિંગની બાજુમાં રહેતા વિનોદભાઈ જીવરાજભાઈ અગેચાણીયા જાતે કોળી નામના ૪૫ વર્ષના યુવાને તેના ઘેર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજયુ હતું બનાવને પગલે મૃતદેહને પીએમ માટે ખસેડ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના જયપાલસિંહ ઝાલા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે મૃતક વિનોદભાઈ કોળી તથા તેમના પત્ની દસેક વર્ષ પહેલાં દાજી ગયા હતા અને જે તે સમયે તેમના પત્નીનું મોત નીપજયુ હતું ત્યારબાદથી છેલ્લા દસેક વર્ષથી મૃતક વિનોદભાઇના પગે દાજી જવાના લીધે સડો રહેતો હોય અને તે અસહ્ય દુખાવાની બીમારીથી લઈને તે કંટાળી જતા તેણે તેમના ઘેર અંતિમ પગલું ભરી લીધું હતું જેના પગલે તેઓનું મોત નીપજયુ હતું.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઉગાભાઇ ધીરૂભાઈ બારોટ નામના ૨૨ વર્ષના યુવાનને ઉમા ટાઉનશીપ નજીક આવેલ સ્મશાનની પાસે મારામારીના બનાવમાં ઈજા પહોંચી હતી જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા આ મારામારીના બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામના વતની કિરણભાઈ ઘનશ્યામભાઈ પટેલ નામના ૪૧ વર્ષીય યુવાનને ધાંગધ્રાના હરીપર ગામે આવેલ ભાગ્યોદય હોટલ પાસે બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બનેલ તે બનાવમાં ઇજા પહોંચતા તેને અત્રેની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News