મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપર બીમારીથી કંટાળી અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત


SHARE











મોરબીના રવાપર રોડ ઉપર બીમારીથી કંટાળી અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી જઈને તેના ઘેર અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત નિપજયુ હતું.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નંબર-૪ માં આવેલ સતવારા બોર્ડિંગની બાજુમાં રહેતા વિનોદભાઈ જીવરાજભાઈ અગેચાણીયા જાતે કોળી નામના ૪૫ વર્ષના યુવાને તેના ઘેર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજયુ હતું બનાવને પગલે મૃતદેહને પીએમ માટે ખસેડ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના જયપાલસિંહ ઝાલા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે મૃતક વિનોદભાઈ કોળી તથા તેમના પત્ની દસેક વર્ષ પહેલાં દાજી ગયા હતા અને જે તે સમયે તેમના પત્નીનું મોત નીપજયુ હતું ત્યારબાદથી છેલ્લા દસેક વર્ષથી મૃતક વિનોદભાઇના પગે દાજી જવાના લીધે સડો રહેતો હોય અને તે અસહ્ય દુખાવાની બીમારીથી લઈને તે કંટાળી જતા તેણે તેમના ઘેર અંતિમ પગલું ભરી લીધું હતું જેના પગલે તેઓનું મોત નીપજયુ હતું.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઉગાભાઇ ધીરૂભાઈ બારોટ નામના ૨૨ વર્ષના યુવાનને ઉમા ટાઉનશીપ નજીક આવેલ સ્મશાનની પાસે મારામારીના બનાવમાં ઈજા પહોંચી હતી જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા આ મારામારીના બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામના વતની કિરણભાઈ ઘનશ્યામભાઈ પટેલ નામના ૪૧ વર્ષીય યુવાનને ધાંગધ્રાના હરીપર ગામે આવેલ ભાગ્યોદય હોટલ પાસે બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બનેલ તે બનાવમાં ઇજા પહોંચતા તેને અત્રેની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News