મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડી પાસેથી કતલખાને લઈ જવાતી ૯ ભેંસોને બચાવી : ડ્રાઇવરની ધરપકડ


SHARE











વાંકાનેરના રાતીદેવડી પાસેથી કતલખાને લઈ જવાતી ૯ ભેંસોને બચાવી : ડ્રાઇવરની ધરપકડ

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસેથી આઇસરમાં ૯ ભેંસને કોઈપણ પ્રકારની ચારા કે પાણીની વ્યવસ્થા વગર દોરડા વડે બાંધીને કતલખાને લઈ જતા હોય તેઓ સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૨.૯૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં આઇસરના ડ્રાઇવર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ગામ પાસેથી આઇસર મેટાડોર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતા તેમાં દોરડા વડે ૯ ભેંસોને બાંધવામાં આવી હતી અને તમામ ભેંસના પગ અને મોઢા બાંધી દીધેલ હોય ક્રૂરતાથી તેને વાહનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કતલખાને લઈ જતા હોય તેવું જોવા મળ્યું હતું અને વાહનમાં ઘાસચારો કે પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હતી જેથી કરીને પોલીસે બે લાખ રૂપિયાની કિંમતનું આઇસર તથા ૯૦ હજાર રૂપિયાની કિંમતની ભેંસો આમ કુલ મળીને ૨.૯૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આઇસરના ચાલક શૈલેષભાઈ ઝીણાભાઈ સિંધવ જાતે સરાણીયા (૧૯) રહે. ટંકારા જીઈબી પાછળ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાનો અધિનિયમ કલમ ૧૧ (ડી) (એફ) (એચ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News