વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પાંચ લાખ સામે ૧૬.૨૦ લાખ વ્યાજખોરને દીધા તો પણ મુદલ ઊભી અને ધમકી !


SHARE











વાંકાનેરમાં પાંચ લાખ સામે ૧૬.૨૦ લાખ વ્યાજખોરને દીધા તો પણ મુદલ ઊભી અને ધમકી !

વાંકાનેરમાં આવેલ બાગે સંજર સોસાયટીમાં રહેતા યુવાને વ્યાજખોર સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે જેમાં તે જણાવ્યું છે કે તેઓના પિતાએ પાંચ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા જેની સામે ૧૬.૨૦ લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ મુદ્દલ રકમ ઊભી રાખીને વ્યાજખોરે પૈસાની પઠાણી ઉઘરાણી કરીને તમો વાંકાનેરમાં કેમ રહો છો અને કેમ વેપાર કરો છો તેવી ધમકી આપી હતી જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે વ્યાજખોરની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ બાગે સંજર સોસાયટીના મકાન નંબર ૩૧ માં રહેતા અફાકભાઈ ઉર્ફે બાબુ આરીફભાઈ દોસાણી જાતે મેમણ (૨૨) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ ઓઝા રહે એસબીઆઇ બેન્ક સામે ઓઝા શેરી વાળાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના પિતા આરીફભાઈ અલીમામદભાઈ દોસાણીએ આરોપી પાસેથી વર્ષ ૨૦૨૦ ની સાલમાં કોરોના દરમિયાન ધંધા માટે પાંચ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજ લેખે લીધા હતા અને દરરોજનું ૩૦૦૦ રૂપિયા લેખે વ્યાજ ચૂકવતા હતા એમ દોઢ વર્ષ સુધી આશરે ૧૬.૨૦ લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ મુદ્દલ રકમ ઊભી રાખીને તેની પાસેથી આરોપી દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેના પિતા પાસેથી કોરા ચાર ચેક તથા નોટરી લખાણ કરાવી લીધેલ છે અને હાલમાં તમોને જોઈ લઈશ તમે વાંકાનેરમાં કેમ રહો છો અને કેમ વેપાર કરો છો તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News