મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીથી સીધી અમદાવાદ રેલ્વે સુવિધા આપવા સાંસદ-ધારાસભ્યને રજૂઆત


SHARE











મોરબીથી સીધી અમદાવાદ રેલ્વે સુવિધા આપવા સાંસદ-ધારાસભ્યને રજૂઆત

મોરબીના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશીએ અહીંના ધારાસભ્ય તેમજ સાંસદને લેખિતમાં રજૂઆત કરીને મોરબીથી સીધી અમદાવાદ રેલ્વે સુવિધામાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી છે મોરબી અને અમદાવાદ વચ્ચે ખૂબ મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોય અને તેથી કરીને જો મોરબીથી સીધી અમદાવાદની ટ્રેન સુવિધા મળે તો રેલ્વે વિભાગને પણ આર્થિક ફાયદો થાય તેમ છે તેમ તેઓએ યાદીમાં જણાવેલ છે.

મોરબી આજે જીલ્લો બની ગયાને ધણો સમય થયેલ છે અને મોરબી ઉદ્યોગનગરી છે.અહીંયાથી રેલ્વે મારફતે ટાઈલ્સ તથા ઘડીયાલ ઉદ્યોગ છે તેનો માલ અન્ય સ્થળે જતો હોય છે જેમા રેલ્વે માલગાડી મારફત ધણી જ આવક કરે છે પરંતુ પ્રજાને અમદાવાદ કે મુંબઈ જવા માટે કોઈ સીધી રેલ્વે સુવિધા નથી જેથી અહીંની પ્રજાને ધણી જ મુશ્કેલી ભોગવવી પડે છે અને વાયા વાંકાનેર થઈને જવુ પડે છે.જેથી સમય અને પૈસાનો બગાડ થવાની સાથે લોકોએ પારવાર મુશ્કેલી ભોગવવી પડે છે.વર્ષોથી મોરબીના લોકોની માંગણી છે છતા આજદીન સુધી આ બાબતનો નિકાલ થયેલ નથી જે ધણી જ દુખદ બીના છે. આજે ગુજરાતમાં તથા દિલ્હીમાં ભાજપની સરકારની છે છતા મોરબી જીલ્લાની પ્રજા હેરાન પરેશાન થાય છે.પ્રજાએ ભાજપને ઘણી જ બહુમતી આપી છે જેથી પ્રજાને પણ આશા હોય કે સીધી ટ્રેન સુવીધા મળે આ બાબતે અવારનવાર રજુઆતો પણ થયેલ છે પરંતુ તેનુ કોઈ પરીણામ આવેલ નથી જે ધણી જ દુખદ બીના છે.વધુમા જણાવવાનુ કે જો મોરબીને રેલ્વે સુવીધા આપવામાં કોઈપણ ખર્ચ નથી કારણ કે ભુજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન હાલમાં વાયા હળવદ થઈને ચાલે છે જેમાંથી ત્રણ ટ્રેન વાયા મોરબી કરવામાં આવે તો કોઈપણ જાતના રેલ્વેને ખર્ચ વગર મોરબીને સુવીધા મળે તેમ છે.મોરબી કરોડો રૂપિયા રેલ્વે માલગાડી મારફત કમાણી કરી આપે છે પરંતુ પ્રજાની સગવડમાં વધારો થાય તે જરૂરી છે જે આ રીતે કરવામાં આવે તો મોરબી જીલ્લાના જનતાને રેલ્વે સગડતામાં વધારો થઈ શકે તેમ છે તેથી આ બાબતે અહીંના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને અહીંના જગૃત નાગરીક પી.પી.જોશીએ લેખિતમાં રજૂઆત કરીને મોરબી-અમદાવાદ તેમજ મોરબી-મુંબઈ માટે ટ્રેનની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News